SBI એ આપી ભેટ, ઘર ખરીદવું થયું સસ્તું
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) જે દેશની સૌથી મોટી સરકારી બેંક છે, તેણે ઘર ખરીદનારાઓને મોટી ભેટ આપી છે. SBI એ હોમ લોન પર પ્રોસેસિંગ ફીસ શૂન્ય કરી છે.
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) જે દેશની સૌથી મોટી સરકારી બેંક છે, તેણે ઘર ખરીદનારાઓને મોટી ભેટ આપી છે. SBI એ હોમ લોન પર પ્રોસેસિંગ ફીસ શૂન્ય કરી છે. જી હા, જો તમે ઘર ખરીદવા માંગો છો, તો ભારતીય સ્ટેટ બેન્ક (SBI) તમારા માટે મોટી ઓફર લઈને આવી છે.
દેશની સૌથી મોટી સરકારી બેંકએ હોમ લોન્સ પર પ્રોસેસિંગ ફી ઝીરો કરી દીધી છે. એટલે કે હવે હોમ લોન લેવા માટે તમારે ચાર્જ ચૂકવવાની જરૂર નથી. જો કે, તમને જણાવી કે 28 ફેબ્રુઆરી સુધી તમે બેંકની આ ઓફરનો લાભ લઈ શકશો.
આ પણ વાંચો: ઇનકમ ટેક્સ ભરવાનું હવે પહેલા કરતા ખૂબ સરળ

હવે પ્રોસેસિંગ ફી લાગશે નહીં
લોન લેતી વખતે ગ્રાહકોને ઘણા વધુ ચાર્જ ચૂકવવા પડે છે. તેમાં વ્યાજની ચૂકવણી, પ્રોસેસિંગ ફી, વહીવટી ખર્ચ, પૂર્વ ચુકવણી દંડ શામેલ છે. લોન લેતા પહેલાં એસબીઆઈએ આ ચાર્જિસમાંથી પ્રોસેસિંગ ફી કાઢી નાખી છે. બેન્ક તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર 28 ફેબ્રુઆરી 2019 સુધી હોમ લોન લેવા પર કોઈ પ્રોસેસિંગ ફી નહિ લાગશે.

હોમ લોન કેટલી મળશે
લોન પ્રક્રિયા શરૂ કરતાં પહેલાં તમે કેટલી કમાણી કરો છો અને બેંક કેટલી રકમ આપી શકે તેનું મૂલ્યાંકન કરો. તમારી લોન લેવાની ક્ષમતા તેને ચૂકવવાની ક્ષમતા પર નિર્ભર છે. ફક્ત આ જ નહીં, તે તમારી માસિક કમાણી, ખર્ચ અને પરિજનોની કમાણી, મિલકત, દેણદારી, આવકમાં સ્થિરતા સંબંધિત મુદ્દાઓ પર નિર્ભર કરે છે.
તમને જણાવી દઈએ કે બેંક સૌથી પહેલા એ જોવે છે કે તમે સમય પર લોનની ચુકવણી કરી શકશો કે નહિ. તમે દર મહિને જેટલા વધુ પૈસા મેળવો છો, તેટલી જ તમારી લોનની રકમમાં વધારો થશે. સામાન્ય રીતે કોઈ બેંક અથવા શાહુકાર જુએ છે કે શું તમે લોનની ચુકવણીના માસિક આવકના 50 ટકા ચૂકવવા માટે સક્ષમ છો કે નહિ. લોનની રકમ લોનની મુદત અને વ્યાજના દર પર પણ લોન અમાઉન્ટ આધારિત છે. આ ઉપરાંત, બેંક લોન માટે ઉંમરની ઉપલી મર્યાદાને પણ ફિક્સ કરી ચાલે છે.

લોન માટે આ ડોક્યુમેન્ટ આવશ્યક છે
જણાવી દઈએ કે લોન અરજી ફોર્મમાં જ સાથે લગાવવાના ડોક્યુમેન્ટની ચેકલિસ્ટ લાગેલી હોય છે. તેના સાથે જ તમારે ફોટો લાગવાનો હોય છે. ઘર ખરીદવા માટે કાનૂની દસ્તાવેજોથી લઇને બેંક તમારા પાસેથી ઓળખ અને રહેઠાણના પુરાવા સાથે પગાર સ્લિપ (ઓફિસ દ્વારા ચકાસાયેલ અને સ્વ પ્રમાણિત) અને ફોર્મ 16 અથવા તેમના કરવેરા વળતર સાથે બેન્કના છેલ્લા છ મહિનાનું સ્ટેટમેન્ટ પણ આપવું પડે છે.
કેટલીક ધિરાણ સંસ્થાઓ જીવન વીમા પૉલિસી, શેર પેપર્સ, એનએસસી, મ્યુચ્યુઅલ ફંડ યુનિટ, બેંક ડિપોઝિટ્સ અથવા અન્ય રોકાણ પેપર્સ ગીરવી તરીકે માંગે છે.

લોન મંજૂર થવી અને જારી થવામાં શું અંતર છે
જો બેંક તમારી અરજી સ્વીકારે છે અને તે મુજબ લોન આપવાનું નક્કી કરે છે, તો સારાંશ પત્રમાં લોનની રકમ, અવધિ અને વ્યાજના દરો વગેરે વિશેની માહિતી હોય છે. તેમાં જ લોનની શરતો વિશેની માહિતી હોય છે. જ્યારે તમારી પાસે વાસ્તવમાં તમારા હાથમાં લોનની રકમ આવી જાય ત્યારે તેને વિતરણ કહેવામાં આવે છે.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
