SBI ધિરાણ દર વધાર્યા : ઓટો - કન્ઝ્યુમર લોન મોંઘી બની

એસબીઆઈ નવા ધિરાણદર 7 નવેમ્બર, 2013થી અમલી બનાવવાની છે. આ કારણે હોમ, ઓટો અને કન્ઝ્યુમર લોન સહિત તમામ પ્રકારની લોન થશે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા છેલ્લે રજૂ કરવામાં આવેલી ત્રિમાસિક નાણાકીય પોલીસિમાં રેપોરેટમાં વધારો કરવામાં આવ્યો હતો. આમ છતાં એમએસએફ દરમાં ઘટાડો કરવામાં આવ્યો હોવાથી બેન્કોને વધારે તકલીફ થશે નહી.
એસબીઆઈના ચેરપર્સન અરુંધતી ભટ્ટાચાર્યના જણાવ્યા પ્રમાણે ફંડના ખર્ચમાં વધારો થયો હોવાથી બેન્કે બેઝરેટમાં વધારો કરવો પડ્યો છે. જોકે બેન્કની ટૂંકા ગાળાના ધિરાણદરમાં વધારો કરવાની કોઈ યોજના નથી. અરુણધતિ ભટ્ટાચાર્યના મત પ્રમાણે મોટા બાગની બેન્કોના બેઝ રેટ એસબીઆઈ કરતા વધુ છે. એસબીઆઈનો ક્રેડિટ ગ્રોથ 17થી 18 ટકા થવાનો અંદાજ રાખવામાં આવ્યો છે.
આ અગાઉ એચડીએફસી બેંક દ્વારા પણ ધિરાણદરમાં વધારો કરવામાં આવ્યો હતો. આરબીઆઈ દ્વારા બેઝ રેટમાં 0.5 ટકાનો વધારો કરવામાં આવ્યો હોવા છતા બેન્ક દ્વારા બેઝરેટમાં 0.2 ટકાનો જ વધારો કરવામાં આવ્યો છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
