જાણો : સેબીએ માર્કેટ મજબૂત બનાવવા નિયમોમાં કેવી ઢીલ આપી?
નવી દિલ્હી, 19 જૂન : શેર બજારમાં નાના રોકાણકારોની હિસ્સેદારી વધે તે માટે સેબીએ આજે અનેક મહત્વના નિર્ણયો લીધા છે. આ માટે આજે સેબીના બોર્ડની બેઠક યોજાઇ હતી. બેઠકમાં 'ઓફર ફોર સેલ' (OFS-ઓએફએસ)માં છૂટક રોકાણકારો માટે 10 ટકા હિસ્સો રિઝર્વ રાખવામાં આવ્યો છે.
આ ઉપરાંત સરકારી કંપનીઓમાં પણ રોકાણ ખેંચી લાવવાનો પાયો બનાવવા માટે નિર્ણયો લેવામાં આવ્યો છે. જે સરકારી કંપનીઓમાં સરકારની હિસ્સેદારી 75 ટકાથી વધારે હોય તેમાં આવનારા 3 વર્ષોમાં વિનિવેશ કરવામાં આવશે.
- નોન પ્રમોટર્સ OFSમાં પોતાની હિસ્સેદારી વેચી શકશે.
- નોન પ્રમોટર OFSમાં 10 ટકાથી વધારે હિસ્સો થતા OFS મારફતે શેર વેચી શકશે.
- OFSમાં શેર વેચનારા છૂટક રોકાણકારોને છૂટ આપી શકે છે.
- પાછલા એક વર્ષમાં મંજૂર કરવામાં આવેલા બોનસ શેર પણ OFS મારફતે વેચી શકાશે.
- ટોપ 100ને બદલે હવે ટોપ 200 કંપનીઓ OFS મારફતે શેર વેચી શકશે.
- કોઇ પણ આઇપીઓમાં ઓછામાં ઓછા 25 ટકા અથવા 400 કરોડ રૂપિયાના શેર વેચવા પડશે.
- એંકર ઇન્વેસ્ટરની મર્યાદા 30 ટકાથી વધારેની 60 ટકા કરવામાં આવી છે.
- ઇસોપ નિયમોમાં સુધારો કરાશે. ઇસોપ ટ્રસ્ટની નવી કેટેગરી બનાવાશે.
- ઇસોપ ટ્રસ્ટમાં પબ્લિક, પ્રમોટર અને રિટેલની કેટેગરી ખતમ કરી દેવામાં આવી છે.
- સેબીએ રિસર્ચ એનાલિસ્ટ માટે નવા નિયમોને મંજૂરી આપી દીધી છે. તમામ રિસર્ચ એનાલિસ્ટ સેબીમાં રજીસ્ટર્ડ હશે.
- સેબીનો કેવાઇસી ડેટા બાકી તમામ રેગ્યુલેટર્સવે મળી શકશે.













Click it and Unblock the Notifications
