સેબીએ અલ્ગોરિધમિક ટ્રેડિંગ નિયમો કડક બનાવ્યા

શેરબજારના કારોબારમાં 'એલ્ગો ટ્રેડિંગ' એટલે એવું ટ્રેડિંગ જે આધુનિક ગણિતીય રીતોનો ઉપયોગ કરીને અત્યાંત ઝડપી ગતિથી સામે આવે છે અને આપોઆપ સોદા થાય છે. આ પદ્ધતિનો ઉપયોગ મુખ્યત્વે મોટા સંસ્થાગત રોકાણકારો દ્વારા કરવામાં આવે છે. આ પદ્ધતિ એટલા માટે ચિંતાજનક છે કારણ કે એલ્ગોથી નાના રોકાણકારો અને બજાર બંનેને સંભવિત પ્રણાલીગત જોખમ થવાનો ભય રહે છે.
સેબીએ સૌથી પહેલા એલ્ગો કારોબાર પર દિશાનિર્દેશ માર્ચ, 2012માં આપ્યા હતા. મંગળવારે જાહેર કરવામાં આવેલા સરક્યુલરમાં બજાર નિયામકે જણાવ્યું છે કે તેણે એલ્ગો દિશાનિર્દેશોની સમીક્ષાનો નિર્ણય લીધો છે. આ અંગે તકનીકી સલાહકાર સમિતિએ સૂચનો આપ્યા હતા. નવા નિયમો 27 મેથી અમલી બનવાના છે.
સુધારવામાં આવેલા દિશાનિર્દેશો અનુસાર એલ્ગો સુવિધા પૂરી પાડનારા બ્રોકરોને અનિવાર્ય રીતે પ્રત્યેક છ મહિનામાં પોતાના સિસ્ટમનું ઓડિટ કરાવવું પડશે. તેને સેબી અને શેરબજાર દ્વારા નક્કી કરવામાં આવેલી જરૂરિયાતોનું પાલન પણ કરવું પડશે. આ પ્રકારનું ઓડિટ યોગ્ય પ્રામાણિત સિસ્ટમ ઑડિટર પાસે કરાવવાનું રહેશે.












Click it and Unblock the Notifications
