અર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ
અર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ સોંપી સરકાર શું સાબિત કરવા માગે છે?
ઉર્જિત પટેલના રાજીનામાં બાદ કેન્દ્ર સરકારે તમિલનાડુ કેડરના IAS સક્તિકાંત દાસની રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના ગવર્નર તરીકે નિમણૂંક કરી છે, પરંતુ સરકારના આ નિર્ણય કયા આધારે લીધો તેના પર સવાલો ઉઠી શકે તેમ છે. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના ગવર્નરનું પદ અર્થશાસ્ત્રી ન હોય તેવા વ્યક્તિને આપવું દેશના અર્થંત્રને ખાડામાં ધકેલવા બરાબર છે. સક્તિકાંત દાસ એક રિટાયર્ડ IAS ઑફિસર છે અને તેમનો ટ્રેક રેકોર્ડ પણ સારો નથી રહ્યો. જ્યારે નોટબંધી વખતે રિઝર્વ બેંકે પણ ચૂપ્પી સાધી હતી તેવા સમયે સક્તિકાંત દાસે સરકારના નિર્ણયના પક્ષમાં મેદાનમાં ઉતરી આવ્યા હતા.

કોણ છે શક્તિકાંત દાસ
26 ફેબ્રુઆરી, 1957ના રોજ જન્મેલા શક્તિકાંત દાસ તમિલનાડુ કેડરના આઈએએસ અધિકારી છે. નવી દિલ્લીની સેન્ટ સ્ટીફન કોલેજમાંથી માસ્ટર્સ ડીગ્રી લેનાર શક્તિકાંત દાસે ભારત સરકારના ઘણમા મહત્વના પદો પર પોતાની સેવાઓ આપી છે. તેમણે નાણાં મંત્રાલય અને ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેંડિચરના જોઈન્ટ સેક્રેટરી, તમિલનાડુ સરકારના સ્પેશિયલ કમિશ્નર અને રેવન્યુ કમિશ્નર, ઈન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટના સેક્રેટરીની સાથે સાથે ઘણા મહત્વપૂર્ણ પદો પર કામ કર્યુ છે.

મહત્વના પદોની સંભાળી જવાબદારી
નાણા કમિશનના સભ્ય શક્તિકાંત દાસને આરબીઆઈના નવા પ્રમુખ બનાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે શક્તિકાંત દાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફેવરિટ અધિકારીઓ તરીકે ઓળખાય છે. શક્તિકાંત દાસ આ પહેલા આર્થિક બાબતોના સચિવ પદ પર પણ પોતાની સેવાઓ આપી ચૂક્યા છે. આર્થિક બાબતોના પૂર્વ સચિવ શક્તિકાંત હવે કેન્દ્રીય બેંકની જવાબદારી સંભાળશે. ગયા વર્ષે જ તે સચિવ પદેથી રિટાયર થયા હતા.

નોટબંધીના નિર્ણયમાં મહત્વની ભૂમિકા નિભાવી
રિટાયરમેન્ટ બાદ વર્તમાનમાં ભારતના 15માં નાણા કમિશન અને ભારતના શેરપા જી-20માં સભ્ય છે. ઉલ્લેખનીય છે કે મોદી સરકાના નોટબંધીના નિર્ણયમાં પણ તેમની મુખ્ય ભૂમિકા રહી હતી. માનવામાં આવે છે કે સરકાર તરફથી લેવાયેલ આ નિર્ણયનો ડ્રાફ્ટ બનાવનારામાં દાસ પણ શામેલ હતા.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
