ટૂંક સમયમાં પગાર વધીને આવશે, પીએફના નિયમોમાં બદલાવની તૈયારી
સરકાર જલ્દી નોકરિયાત લોકોને ખાસ ભેટ આપી શકે છે. ટૂંક સમયમાં તમને પગાર વધી મળી શકે છે. તમારો ઇનહેન્ડ પગાર વધવા જઇ રહ્યો છે.
સરકાર જલ્દી નોકરિયાત લોકોને ખાસ ભેટ આપી શકે છે. ટૂંક સમયમાં તમને પગાર વધી મળી શકે છે. તમારો ઇનહેન્ડ પગાર વધવા જઇ રહ્યો છે. સરકાર ટૂંક સમયમાં પ્રોવિડન્ટ ફંડમાં બદલાવ કરવા જઈ રહી છે. શ્રમ મંત્રાલયે ઇપીએફઓને કર્મચારીઓનું યોગદાન ઓછું કરવાની સલાહ આપી છે. જો ઇપીએફ શ્રમ મંત્રાલયની આ સલાહને સ્વીકારે છે, તો પછી તમારા હાથમાં પગાર વધીને આવશે.
પગારમાં વધીને આવશે
શ્રમ મંત્રાલયે ઇપીએફઓને કર્મચારીઓનું યોગદાન ઓછું કરવાની સલાહ આપી છે. જો આ સલાહ સ્વીકારવામાં આવે છે, તો પછી તમારા હાથમાં પગાર જલ્દીથી વાળીને આવશે. અંગ્રેજી વેબસાઇટ બિઝનેસ સ્ટાન્ડર્ડના સમાચારો અનુસાર શ્રમ મંત્રાલયે આ ભલામણ કરી છે. જો આ ભલામણ સ્વીકારાય તો કર્મચારીઓનો પગાર વધીને આવશે. પ્રોવિડન્ટ ફન્ડ અને મિસ્લેનીયસ બીલ, 2019 માં પીએફમાં કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા યોગદાનમાં ઘટાડો કરવાની ભલામણ કરવામાં આવી છે.
જાણો પીએફનો નિયમ શું છે
તમારા પગારમાંથી કેટલો હિસ્સો પીએફમાં જશે તે તમારા પગાર પર આધારીત છે. હાલમાં ઇપીએફ તમારા મૂળભૂત પગારનો 24% હિસ્સો જમા થાય છે. તેમાંથી 12 ટકા કર્મચારીના પગારમાંથી કાપવામાં આવે છે, જ્યારે બાકીના 12 ટકા રકમ કંપની દ્વારા જમા કરવામાં આવે છે. સરકારના નિયમ મુજબ જેમના પગાર રૂ .15,000 કે તેથી વધુ છે તેમના પીએફની કપાત કરવી જરૂરી છે.
પીએફ ફરજિયાત
તમને જણાવી દઈએ કે કર્મચારીઓના પગારનો કેટલો હિસ્સો તેમના પીએફમાં જશે, તે તેમની ઉંમર, લિંગ અને પગારના ગ્રેડ અનુસાર નક્કી કરવામાં આવે છે. જે રીતે કર્મચારીઓના પગારમાંથી પીએફ કાપવાનું ફરજિયાત છે તે જ રીતે, જે કંપનીઓ પાસે ઓછામાં ઓછા 20 કર્મચારીઓ છે તેઓએ પણ તેમના કર્મચારીઓ માટે 12% પીએફ જમા કરાવવાનું પણ અનિવાર્ય છે.
આ પણ વાંચો: જીડીપીમાં ઘટાડાથી સામાન્ય માણસના જીવન પર કઈ રીતે થશે અસર