ગુજરાત ચૂંટણી બાદ રાહતદરના સિલિન્ડર મોંઘા થશે

થોડા સમય પહેલા સરકારે સબસિડીવાળા ગેસ સિલિન્ડરોની સંખ્યા વાર્ષિક 6 કરી હતી. તેના પગલે ઉઠેલા વિરોધના સૂર ડામવા માટે બે દિવસ પહેલા પેટ્રોલિયમ પ્રધાને રાહતદરે આપવામાં આવતા સિલિન્ડરોની વાર્ષિક સંખ્યા મર્યાદા 6થી વધારી 9 કરવાની જાહેરાત કરી હતી. જો કે જાહેરાત ગુજરાતની ચૂંટણી પર અસર કરી શકે એવી ધારણાને પગલે ચૂંટણીપંચે તેનું અમલીકરણ અટકાવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતની ચૂંટણીની પ્રક્રિયા પૂરી થયા બાદ રાહતદરે આપવામાં આવતા ગેસ સિલિન્ડરની સંખ્યા 6થી વધારીને 9 કરવામાં આવશે. આ જ કારણે સિલિન્ડરની કિંમતોમાં વધારો થવાની વકી છે. વાસ્તવમાં સરકાર રાહત દરે આપવામાં આવતા સિલિન્ડરની વાર્ષિક મર્યાદા 6થી 9 કરશે તેની સાથે તેમના પર વાર્ષિક રૂપિયા 9,000 કરોડનો બોજો પડશે. આ રૂપિયા 9,000 કરોડનો બોજો ઘટાડવા માટે જ સિલિન્ડરની કિંમતોમાં વધારો કરવામાં આવશે.
માનવામાં આવી રહ્યું છે કે આ સપ્તાહે કોર કમિટીની બેઠક યોજાશે. જેમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. ત્યાર બાદ આ અંગેનો અંતિમ નિર્ણય યુપીએની કેબિનેટની બેઠકમાં લેવામાં આવશે.
-
Weather News: UP-MP સહિત 9 રાજ્યોમાં Rain Alert, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં ગરમી વચ્ચે માવઠાની આફત, જાણો હવામાન વિભાગની આગાહી -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
ઈરાને ટ્રમ્પની શાન ઠેકાણે લાવી દીધી, 24 કલાકમાં 2 હેલિકોપ્ટર અને 2 ફાઈટર જેટ ધૂળમાં મેળવી દીધા - Video -
IPL 2026 પોઈન્ટ્સ ટેબલ: શરૂઆતમાં જ ફસાઈ ધોનીની ટીમ! PBKS પહોંચી ટોપ પર, પોઈન્ટ્સ ટેબલમાં કોણ ક્યાં? -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત





Click it and Unblock the Notifications
