ગુજરાત ચૂંટણી બાદ રાહતદરના સિલિન્ડર મોંઘા થશે

થોડા સમય પહેલા સરકારે સબસિડીવાળા ગેસ સિલિન્ડરોની સંખ્યા વાર્ષિક 6 કરી હતી. તેના પગલે ઉઠેલા વિરોધના સૂર ડામવા માટે બે દિવસ પહેલા પેટ્રોલિયમ પ્રધાને રાહતદરે આપવામાં આવતા સિલિન્ડરોની વાર્ષિક સંખ્યા મર્યાદા 6થી વધારી 9 કરવાની જાહેરાત કરી હતી. જો કે જાહેરાત ગુજરાતની ચૂંટણી પર અસર કરી શકે એવી ધારણાને પગલે ચૂંટણીપંચે તેનું અમલીકરણ અટકાવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતની ચૂંટણીની પ્રક્રિયા પૂરી થયા બાદ રાહતદરે આપવામાં આવતા ગેસ સિલિન્ડરની સંખ્યા 6થી વધારીને 9 કરવામાં આવશે. આ જ કારણે સિલિન્ડરની કિંમતોમાં વધારો થવાની વકી છે. વાસ્તવમાં સરકાર રાહત દરે આપવામાં આવતા સિલિન્ડરની વાર્ષિક મર્યાદા 6થી 9 કરશે તેની સાથે તેમના પર વાર્ષિક રૂપિયા 9,000 કરોડનો બોજો પડશે. આ રૂપિયા 9,000 કરોડનો બોજો ઘટાડવા માટે જ સિલિન્ડરની કિંમતોમાં વધારો કરવામાં આવશે.
માનવામાં આવી રહ્યું છે કે આ સપ્તાહે કોર કમિટીની બેઠક યોજાશે. જેમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. ત્યાર બાદ આ અંગેનો અંતિમ નિર્ણય યુપીએની કેબિનેટની બેઠકમાં લેવામાં આવશે.












Click it and Unblock the Notifications
