મંદીના કારણે શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 800થી વધુ પોઈન્ટ તૂટ્યો
ભારતીય શેરબજારમાં આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે મોટું નુકસાન થયું છે. બજાર સવારે લાલ નિશાન સાથે ખુલ્યું અને એક દિવસના કારોબાર પછી લાલ નિશાનમાં જ બંધ થયું હતું.
ભારતીય શેરબજારમાં આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે મોટું નુકસાન થયું છે. બજાર સવારે લાલ નિશાન સાથે ખુલ્યું અને એક દિવસના કારોબાર પછી લાલ નિશાનમાં જ બંધ થયું હતું. આ દરમિયાન સેન્સેક્સમાં 800થી વધુ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો.
1.27 ટકા ઘટીને 17,335.80 પર બંધ થાયો
આજના કારોબારના અંત પછી, મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ લગભગ 861.25 પોઈન્ટ્સ અથવા 1.46 ટકાના ઘટાડા સાથે 57,972.62પર બંધ થયો, જ્યારે નિફ્ટી પણ 223.10 પોઈન્ટ્સ અથવા 1.27 ટકાના ઘટાડા સાથે 17,335.80 પર બંધ થયો હતો.
સવાર કેવી હતી?
અમેરિકી બજારના નબળા સંકેતને કારણે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારના રોજ ભારતીય શેરબજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું હતું. ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં હોબાળો જોવા મળ્યો હતો.
સેન્સેક્સે 1466.4 પોઈન્ટના ઘટાડા સાથે 57,367.47 પોઈન્ટ્સ સાથે ટ્રેડિંગ શરૂ કર્યું હતું. આવા સમયે, 50 પોઇન્ટનો નિફ્ટી 370 પોઇન્ટ તૂટીને 17,188.65 પર ખૂલ્યો હતો. જોકે બાદમાં શેરબજારમાં રિકવરી જોવા મળી હતી.
ફુગાવા અંગે ફેડ ચેરમેનનું નિવેદન
ફેડના ચેરમેન જેરોમ પોવેલ દ્વારા મોંઘવારી અંગે આપવામાં આવેલા નિવેદનના કારણે શેરબજારમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. સતતવધી રહેલી મોંઘવારી પર ફેડના ચેરમેને શુક્રવારના રોજ જણાવ્યું હતું કે, ફુગાવાને કાબૂમાં લેવા માટે સમય લાગશે.