1 રૂપિયાની સેલેરી લે છે આ સીઈઓ, જ્યારે કંપની અબજોમાં કમાય છે
દેશની ફાર્મા સેક્ટરની સૌથી મોટી કંપની સન ફાર્માસ્ટુટિકલ્સ સતત નફો કરી રહી છે, જ્યારે તેના ફાઉન્ડર અને મેનેજીંગ ડાયરેક્ટર દિલિપ સાંઘવી માત્ર 1 રૂપિયાની પ્રતિકાત્મક સેલેરી લે છે.
દેશની ફાર્મા સેક્ટરની સૌથી મોટી કંપની સન ફાર્માસ્ટુટિકલ્સ સતત નફો કરી રહી છે, જ્યારે તેના ફાઉન્ડર અને મેનેજીંગ ડાયરેક્ટર દિલિપ સાંઘવી માત્ર 1 રૂપિયાની પ્રતિકાત્મક સેલેરી લે છે. તમને જણાવી દઈએ કે નાણાકીય વર્ષ 2018-19માં તેમનું પેકેજ લગભગ 3 કરોડ રૂપિયાનું હતુ પણ કંપની તરફથી આપેલ માહિતી પ્રમાણે વર્ષ 1018-19માં તેમણે સેલરીના નામે માત્ર 1 રૂપિયો જ લીધો છે. જ્યારે આ જ વર્ષે કંપનીના નફામાં 27 ટકાનો વધારો થયો છે.
દિલિપ સાંઘવી હાલ ફાર્મા સેક્ટરમાં સોથી વધુ પગાર મેળવતા સીઈઓ છે. તેમના સાળા અને કંપનીના કો-પ્રમોટર સુધીર વાલિયાએ વર્ષ 2019માં સેલેરીના નામે માત્ર 1 રૂપિયો જ લીધો છે. જો કે આ વર્ષના મે માં વાલિયાએ કંપનીના ફુલ ટાઈમ ડાયરેક્ટર પદેથી રાજીનામું આપી દીધુ છે પણ તેઓ આ કંપનીના નૉન-પ્રમોટર, નૉન એક્ઝીક્યુટીવ અને નૉન-ઈન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર તરીકે હજુ જળવાઈ રહ્યા છે.

વર્ષ 2017-18માં હતુ સવા 3 કરોડનું પેકેજ
સન ફાર્માસ્ટુટિકલ્સના સીઈઓ દિલિપ સાંઘવીને વર્ષ 2017-18માં 3.36 કરોડનું પેકેજ મળતુ હતુ. જ્યારે તેમની તુલનામાં વર્ષ 2018-19માં કેડિલા હેલ્થકેયરના મેનેજીંગ ડાયરેક્ટર શર્વિલ પટેલને વાર્ષિક 25 કરોડનું પેકેજ મળતુ હતુ. ઉપરાંત લ્યૂપિનના મેનેજીંગ ડાયરેક્ટર અને સીઈઓ જી વી પ્રસાદને વાર્ષિક 12.38 કરોડનું પેકેજ મળતુ હતુ.

આશરે 3 લાખના અન્ય લાભો
દિલિપ સાંઘવીએ વેતન તરીકે માત્ર 1 રૂપિયો જ લીધો છે, જો કે અન્ય પદેથી તેમને કંપની દ્વારા આશરે 3 લાખનો લાભ થયો છે. કંપનીના વાર્ષિક રિપોર્ટ અનુસાર તેમણે 31 માર્ચ 2019 સુધી કંપની તરફથી 2.62 લાખ રૂપિયા જેમાં હાઉસ રેંટ એલાઉન્સ, લીવ ટ્રાવેલ, મેડિકલ રીઈમ્બર્સમેન્ટ, પીએફ વગેરે તરીકે મળ્યા છે. દિલિપ સાંઘવીની પોતાની સન ફાર્મામાં આશરે 9.6 ટકાની ભાગીદારી છે, જેની વેલ્યુ આ સમયે આશરે 11,039 કરોડ રૂપિયા છે.

ડિવિડેંડથી મળ્યા કરોડો રૂપિયા
સન ફાર્માસ્યુટિકલ્સ સતત પોતાના શેયરધારકોને ડિવિડેંડ આપી રહી છે. વર્ષ 2018-19માં દિલિપ સાંઘવીને તેમના શેયરોના બદલે અંદાજે 63.3 કરોડનું ડિવિડેંડ મળ્યુ છે. જ્યારે આ વર્ષે આ ડિવિડેંડ આશરે 46.1 કરોડ રૂપિયા હતુ.

જ્યારે કંપનીની કમાણી કરોડોમાં
નાણાકીય વર્ષ 2018-19માં કંપનીએ 10 ટકાના વધારા સાથે 28,686 કરોડનું વેચાણ કર્યુ હતુ. જેમાં ચોખ્ખો નફો 27 ટકા વધ્યો હતો. જો કે ગયા વર્ષે છેલ્લા ત્રણ મહિનામાં કંપનીનો નફો 52 ટકા ઘટ્યો હતો. આ સમયે કંપનીએ પોતાના વિતરણ નેટવર્કમાં ફેરફાર કરવા પાછળ 1,085 કરોડ રૂપિયાની રકમ ખર્ચવી પડી હતી. જેથી તેનો નફો ઘટ્યો હતો.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
