કોલ ડ્રોપ પર થશે દંડ, 1લી ઓક્ટોબરથી TRAIનો નવો નિયમ લાગુ
કોલ ડ્રોપ પર થશે દંડ, 1લી ઓક્ટોબરથી TRAIનો નવો નિયમ લાગુ
નવી દિલ્હીઃ કોલ ડ્રોપની સમસ્યાથી ગ્રાહકો પરેશાન છે જો કે આ પરેશાનીથી તમને જલદી જ રાહત મળી શકે છે. કોલ ડ્રોપની સમસ્યાને રોકવા માટે ટ્રાઈનો નવો નિયમ 1લી ઓક્ટોબરથી લાગુ થઈ રહ્યો છે. ટ્રાઈનો નવો આદેશ લાગુ થયા બાદ કોલ ડ્રોપ પર દંડની જોગવાઈ હશે. જેમાં કોલ ડ્રોપ પર મોબાઈલ કંપનીઓને તગડો દંડ ફટકારવામાં આવશે.

કોલ ડ્રોપની સમસ્યાથી રાહત મળશે
ટ્રાઈના નવા આદેશ મુજબ હવે કોલ ડ્રોપની સમસ્યાથી તમને રાહત મળશે. ટ્રાઈએ 1લી ઓક્ટોબર 2018 અને સોમવારથી નવો નિયમ લાગુ કરવાનો નિર્દેશ જાહેર કર્યો છે. નવા કાયદા અંતર્ગત ખરાબ સર્વિસ આપતા ટેલિકોમ ઓપરેટર્સને દંડ ફટકારવામાં આવશે.

મોદીએ પણ કરી ફરિયાદ
ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં છપાયેલ એક રિપોર્ટ મુજબ કોલ ડ્રોપની સમસ્યા પીએમ નરેન્દ્ર મોદી સુધી પહોંચી હતી. રિપોર્ટ મુજબ દિલ્હી એરપોર્ટથી પોતાના આવાસ સુધી પહોંચતી વખતે પીએમ મોદીએ પણ કોલ ડ્રોપની સમસ્યાને લઈને પરેશાન થવું પડ્યું હતું. એમણે પણ કોલ ડ્રોપની ફરિયાદ કરવી પડી હતી. એમણે કહ્યું કે દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા બાદ સતત કોલ કરવાની કોશિશ કરી રહ્યા હતા પણ તેમણે કોલ ડ્રોપની સમસ્યાથી પરેશાન થવું પડ્યું.

તગડો દંડ લાગશે
સૂત્રો મુજબ વડાપ્રધાનની ફરિયાદ બાદ દૂરસંચાર વિભાગે ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં ટેલિકોમ કંપનીઓની બેઠક બોલાવી લીધી છે. બીજી બાજુ 1લી ઓક્ટોબરથી જ કોલ ડ્રોપ સંબંધી નવો કાયદો લાગુ કરી દીધો છે. ટ્રાઈએ કહ્યું કે વાત કરતાં કરતાં નેટવર્ક ગાયબ થઈ જાય તેને જ કોલ ડ્રોપ નહિ માનવામાં આવે. વાતચીત દરમિયાન જો અવાજ ન સાંભળી શકાય અથવા નેટવર્ક નબળું હશે તો તેને પણ કોલ ડ્રોપ જ ગણવામાં આવશે.
આ પણ વાંચો- પેટ્રોલ-ડીઝલની કિંમતોએ વધારી નાગરિકોની મુશ્કેલી, જાણો આજનો ભાવ
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
