Union Budget 2020: આ વખતે બજેટમાં નાણામંત્રી રેલવેને આપી શકે ભેટ, આ એલાન થઈ શકે
Union Budget 2020: આ વખતે બજેટમાં નાણામંત્રી રેલવેને આપી શકે ભેટ, આ એલાન થઈ શકે
નવી દિલ્હીઃ મોદી સરકાર પોતાનું જનરલ બજેટ 1 ફેબ્રુઆરી 2020ના રોજ રજૂ કરશે. નાણામંત્રી નિર્મલા સીારમણે બજેટની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સૌકોઈને આ બજેટથી ઘણી અપેક્ષાઓ છે. મોંઘવારીનો માર સહી રહેલી જનતાને ઉમ્મીદ છે કે નાણામંત્રી આ બજેટમાં તેમના માટે રાહત પેકેજની ઘોષણા કરશે. જ્યારે હવે જનરલ બજેટની સાથે રજૂ થનાર રેલવે બજેટને લઈને પણ કેટલીય ઉમ્મીદો લગાવાઈ રહી છે.

રેલવે બજેટમાં શું ખાસ હશે
મીડિયા રિપોર્ટ્સ મુજબ મોદી સરકાર રોડ અને એવિએશન સેક્ટરની જ જેમ રેલવે મંત્રાલય માટે મહત્વની ઘોષણાઓ કરી શકે છે. જ્યારે ઉમ્મીદ કરવામાં આવી રહી છે કે પાછલા બજેટના મુકાબલે 1 ફેબ્રુઆરીએ રજૂ થનાર બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ રેલવે બજેટમાં 8 ટકાથી 10 ટકા સુધીનો વધારો કરી શકે છે. આ બજેટમાં રેલવેમાં ઈન્ફ્રા, ખાનગીકરણ અને સુરક્ષા પર ખાસ જોર આપવામાં આવી શકે છે.

આ ટ્રેનોની સંખઅયા વધશે
માનવામાં આવી રહ્યું છે કે સરકાર પોતાના આગામી બજેટમાં વંદે ભારતની સંખ્યા વધારવાની ઘોષણા કરી શકે છે. જ્યારે અન્ય કેટલાય વ્યસ્ત રૂટો પર ટ્રેનોની સંખ્યા વધારવાની ઘોષણા કરી શકે છે. આ ઉપરાંત મોદી સરકાર પ્રાઈવેટ ટ્રેનને લઈને ઘોષણાઓ કરી શકે છે. આ ઉપરાંત ટ્રેનોની સ્પીડ અપગ્રેડ કરવાને લઈને પણ ઘોષણા થઈ શકે છે. ટ્રેનો અને સ્ટેશનો પર કેટલીય સુવિધાઓ વધારવામાં આવવાની ઘોષણાઓ કરવામાં આવી શકે છે. ટ્રેનોમાં એન્ટરટેઈનમેન્ટ અને વાઈફાઈ જેવી સુવિધાઓનું એલાન કરવામાં આવી શકે છે.

ખાનગી રોકાણ પર બળ
આગામી બજેમટાં સરકાર રેલવમાં ખાનગી રોકાણને બળ આપવાને લઈ ઘોષણા કરી શકે છે. ખાનગી રોકાણ વધારવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તાર પર ફોકસ કરવામા આવી શકે છે. ઉલ્લેખનીય છે કે અગાઉ રેલવે માટે 65837 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. ઉમ્મીદ કરવામાં આવી રહી છે કે આ વખતે આ બજેટ વધારીને 72000 કરોડ રૂપિયા થઈ શકે છે. જ્યારે કેપિટનલ એક્સપેન્ડિચરમાં પણ 18 ટકાનો વધારો સંભવ છે. વર્તમાનમાં કેપિટલ એક્સપેન્ડિચર 1.6 લાખ કરોડ છે.

રેલવેને નુકસાનીથી બહાર કાઢવા આ એલાન
જ્યારે નાણા મંત્રાલયની કોશિશ હશે કે રેલવેને નુકસાનથી બહાર કાઢવા માટે દરેક શક્ય કોશિશ કરવામાં આવે. આ બજેટમાં યાત્રી ભાડામા થઈ રહેલ નુકસાન ઘટાડવા માટે પગલાં ઉઠાવવામાં આવી શકે છે. જ્યારે રેલવે ટ્રેકના વિદ્યુતીકરણ, ટ્રેનો અને રેલવે સ્ટેશનોને વધુ સુરક્ષિત બનાવવા માટે પગલાં ઉઠાવવામાં આવી શકે છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ









Click it and Unblock the Notifications
