Union Budget 2020: મહિલા નાણામંત્રી પાસે મહિલાઓને છે આ આશાઓ
મહિલા નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરશે. મોદી સરકારના આ બજેટથી મહિલાઓને ખાસ આશાઓ છે.
મોદી સરકાર પોતાના બીજા કાર્યકાળનુ બીજુ બજેટ 1 ફેબ્રુઆરી 2020ના રોજ રજૂ કરશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરશે. મોદી સરકારના આ બજેટથી મહિલાઓને ખાસ આશાઓ છે. નાણામંત્રી પોતે એક મહિલા છે એટલા માટે દેશની મહિલાઓને પણ તેમના ખાસ આશાઓ છે. મહિલાઓને આશા છે કે નાણામંત્રી મહિલાઓને બજેટમાં રાહત આપશે.

બજેટ 2020 માટે મહિલાઓને આશા છે કે તેમના કિચનનો ખર્ચ ઓછો થશે. મોંઘવારીની માર સહન કરી રહેલા દેશવાસીઓને આશા છે કે બજેટમા તેમને રાહત મળશે. ડુંગળી, લસણ, દાળના આકાશને આંબતા ભાવોએ કિચનની બજેટ બગાડી દીધુ છે. માટે મહિલાઓને આશા છે કે સરકાર આ સામાન્ય બજેટમાં તેમને કંઈક રાહત આપી શકે છે. મહિલાઓને આશા છે કે બજેટ બાદ બેલગામ મોંઘવારી પર કાબુ મેળવી શકાશે. વળી, મહિલા સુરક્ષા વિશે નાણામંત્રી ઘોષણા કરશે. મહિલાઓને આશા છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણ મહિલા સશક્તિકરણ તેમજ શિક્ષણ પર વિશેષ ધ્યાન આપવા સંબંધિત જાહેરાતો કરશે.
વળી, મહિલાઓ સુરક્ષા વિશે પણ ગંભીર છે અને મોદી સરકારના આ બજેટથી આશા લગાવીને બેઠી છે કે સરકાર તેમને રાહતભર્યા સમાચાર આપશે. મહિલાઓને આશા છે કે મહિલાઓની સુરક્ષા માટે બનાવવામાં આવેલા નિર્ભયા ફંડને બરાબર લાગુ કરવો જોઈએ. વળી, આશા છે કે સરકાર ઘરેલુ ટેક્સની સીમાથી બહાર રાખશે. વળી, મ્યુચ્યુઅલ ફંડ્ઝ, વીમા અને બંક એફડીમાં મહિલાઓને પ્રાથમિકતા મળવાની આશા રાખીને મહિલાઓ બેઠી છે. ઉલ્લેખનીય છે કે ગયા બજેટમાં નાણામંત્રીએ મહિલા ઉદ્યમીઓને પ્રોત્સાહન આપવા માટે ઘણી ઘોષણાઓ કરી હતી. મુદ્રા યોજના હેઠળ મહિલાઓને સસ્તી લોન, મહિલા ઉદ્યમીઓને એક લાખ સુધીની લોન આપવાની ઘોષણ કરી હતી.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
