Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Budget Expectations: બજેટથી લોકોને શું અપેક્ષા છે? આવકવેરામાં છૂટથી લઈ આ માંગ કરી

આ વર્ષના બજેટથી નાગરિકોને આવકવેરામાં રાહતની ઉમ્મીદ છે. બજેટ 2025-26 પહેલાં કરવામાં આવેલા સર્વેના પરિણામોના આધાર પર દાવો કરવામાં આવ્યો છે કે ટેક્સપેયર પોતાની ડિસ્પોજેબલ આવક વધારવા માટે નાણામંત્રી નિર્મલા સીતારમણ પાસે પર્સનલ ઈનકમ ટેક્સ રેટમાં કપાત કરવાની માંગ કરી રહ્યા છે.

Nirmala Sitharaman

1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરશે, જેના માટે ગ્રોથ થૉર્નટન ભારત તરફથી કરવામાં આવેલા સર્વેમાં કહેવામાં આવ્યું છે કે તેમાં સામેલ 57 ટકા લોકોએ ટેક્સ રેટ ઘટાડવાની માંગ કરી છે, જ્યારે 25 ટકા લોકો છૂટ સીમા વધારવાના પક્ષમાં છે.

સર્વેમાં ચોંકાવનારા ખુલાસા થયા

આ સર્વેના પરિણામોથી વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમમાં કહેવામાં આવ્યું છે કે હવે નવા કરદાતાની નવી ટેક્સ સિસ્ટમ તરફ ભલામણ વધી રહી છે. હાલ 72 ટકા ટેક્સપેયર્સે નવા અને આસાન ટેક્સ સિસ્ટમને પસંદ કરી છે, જ્યારે માત્ર 28 ટકાએ જૂની ટેક્સ સિસ્ટમ પસંદ કરી છે.

આમ છતાં નવી ટેક્સ સિસ્ટમને વધુ આકર્ષક બનાવવા માટે 46 ટકા લોકો ટેક્સ રેટમાં કમીની ડિમાંડ કરી રહ્યા છે. જ્યારે 26 ટકા લોકો છૂટ સીમા વધારવાની ભલામણ કરી રહ્યા છે. જૂની ટેક્સ સિસ્ટમ ધીમે ધીમે ખતમ કરવાની સરકારની યોજના છે. પરંતુ સર્વે મુજબ 63 ટકા કરદાતા હજી પણ જૂની ટેક્સ સિસ્ટમમાં વધુ પ્રોત્સાહન ઈચ્છે છે.

ડિઝિટકલાઇઝેશનના આ જમાનામાં ટેક્સપેયર્સ ફાઇલિંગ અને કંપ્લાયંસને વધુ સરળ બનાવવાની માંગ કરી રહ્યા છે. સર્વે મુજબ 38 ટકા લોકો વિદેશી બેંકોથી ટેક્સ પેમેન્ટની સુવિધા ઈચ્છે છે, જેથી એનઆરઆઇ ટેક્સ કંપ્લાયંસ સરળતાથી કરી શકે. ડોમેસ્ટિક ટેક્સ કંપ્લાયંસમાં પણ બદલાવની જરૂરત મહેસૂસ કરવામાં આવી રહી છે.

આવકવેરામાં છૂટની માંગ

સર્વે મુજબ 56 ટકા લોકો ટેક્સ ફાઇલિંગ માટે ઇનકમ થ્રેશોલ્ડ વધારવાની માંગ કરી રહ્યા છે. જ્યારે, 32 ટકા લોકો અપડેટેડ ટેક્સ રિટર્ન પર એડિશનલ ટેક્સ ઘટાડવાની ભલામણ કરી રહ્યા છે, જ્યારે 12 ટકાનું કહેવું છે કે રિવાજ્ડ ઈનકમ ટેક્સ ફાઇલિંગ માટે ટાઈમલાઈનને વધારવા જોઈએ.

સર્વેમાં લોકોને પૂછવામાં આવ્યું હતું કે બજેટ 2025-26માં સરકારને કેવા બદલાવો પર જોર આપવું જોઈએ જેનાથી ટેક્સ રિટર્ન ફાઇલિંગને પ્રોત્સાહન મળી શકે. જેના જવાબમાં 53 ટકા લોકોએ નેશનલ પેંશન સ્કીમ અંતર્ગત ટેક્સ છૂટ અને ફંડ રોકાણના નિયમોમાં વધુ સ્થિતિસ્થાપકતા લાવવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે એનાથી એનપીએસ વધુ આકર્ષક બનશે અને લાંબા સમય સુધી ફાઈનાંશિયલ સ્ટેબિલિટીનો ભરોસો મળશે.

આ ઉપરાંત, ટેક્સપેયર્સ ઈલેક્ટ્રિક વ્હીકલ્સને પ્રોત્સાહન આપવા માટે ટેક્સ ઈંસેંટિવ્સ ફરીથી શરૂ કરવા ઈચ્છે છે. સરકારે 1 એપ્રિલ 2019થી 31 માર્ચ 2023 વચ્ચે ઈવી લોન પર વ્યાજદરમાં ટેક્સ છૂટ આપી હતી, જેને હવે ફરીથી લાગૂ કરવાની માંગ કરવામાં આવી રહી છે. જો સરકાર ટેક્સ સિસ્ટમને વધુ સરળ બનાવે છે અને છૂટ વધારવામાં આવે છે, તો તેનાથી કરદાતાઓને મોટી રાહત મળી શકે છે. કરદાતાઓને યુનિયન બજેટ 2025-26થી ઘણી ઉમ્મીદો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X