Yes Bank: RBIના પ્રતિબંધ પહેલા ખાતાધારકોએ 6 મહિનામાં 18000 કરોડ ઉપાડ્યા
Yes Bank: RBIના પ્રતિબંધ પહેલા ખાતાધારકોએ 6 મહિનામાં 18000 કરોડ ઉપાડ્યા
નવી દિલ્હીઃ રિઝર્વ બેંકે રોકડની કમીનો સામનો કરી રહેલી યસ બેંકમાંથી પૈસા કાઢવાની મહત્તમ સીમાને 50 હજાર રૂપિયા નિર્ધારિત કરી દીધી છે. બેંકના ગ્રાહકો એક મહિનામાં 50 હજારથી વધુ નહિ ઉપાડી શકે. જ્યારે બેંકના વાર્ષિક રિપોર્ટ અને રેટિંગ એજન્સીઓ મુજબ 30 સપ્ટેમ્બર 2019ના રોજ બેંકમાં 2,09,497 કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા જે 31 માર્ચ 2019 સુધી 2,27,610 કરોડ રૂપિયા હતી. આ રિપોર્ટ મુજબ યસ બેંકના ખાતાધારકોએ પાછલા વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન 18000 કરોડ રૂપિયા પોતપોતાા અકાઉન્ટ્સમાંથી ઉપાડ્યા હતા.

જમા રાશિમાં 8.64 ટકાની ગિરાવટ
ખાતાધારકો દ્વારા બેંકમાં પૈસા જમા કરાવવામાં 8.64 ટકાની ગિરાવટ નંધાઈ છે. જ્યારે આ અવધિમાં અન્ય બેંકોમાં જમા રાશિમાં 9.2 ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે સપ્ટેમ્બર 2019 બાદ યસ બેંકમાંથી ઉપાડમાં વધારો જોવા મળ્યો. બેંકની સમસ્યાને કારણે ડિસેમ્બર ક્વાર્ટરના આંકડા આવવામાં સમય લાગી રહ્યો છે, માટે સત્તાવાર રીતે ફિગર આવ્યા નથી. સૂત્રો મુજબ સપ્ટેમ્બર 2019 બાદ જમા રાશિમાં 10-12 ટકાની કમી આવી છે.

રાણા કપૂરની ધરપકડ
અગાઉ યસ બેંકના ફાઉન્ડર અને પૂર્વ મેનેજિંગ ડાયરેક્ટર રાણા કપૂરને મની લોન્ડ્રિંગના આરોપમાં રવિવારી ઈડીએ મુંબઈની એક અદાલતમાં હાજર કર્યા હતા. રાણા કપૂર વિરુદ્ધ સીબીઆઈએ કેસ નોંધ્યો છે. તેમની વિરુદ્ધ ક્રિમિનલ કન્સપિરસીનો મામલો નોંધાયેલો છે. સીબીઆઈ અધિકારી આ મામલે દસ્તાવેજ એકઠા કરી રહ્યા છે. ઈડીએ રાણા કપૂર અને તેમના પરિવાર વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી. જે બાદ રાણા કપૂરની દીકરી રોશની કપૂરને મુંબઈ એરપોર્ટ પર રોકી લેવામાં આવી હતી. તે બ્રિટિશ એરવેજના વિમાનથી લંડન માટે રવાના થનાર હતી.

આરબીઆઈએ ખાતાધારકોને આશ્વસ્ત કર્યા
જણાવી દઈએ કે આરબીઆઈએ યસ બેંકના બોર્ડને તત્કાળ પ્રભાવથી ભંગ કર્યા બાદ 30 દિવસ માટે તેમનું નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધું છે. યસ બેંક સંકટને જોતા રિજર્વ બેંક ઑફ ઈન્ડિયાએ કહ્યું કે ખાતાધારકોની કેટલીક બેંકોમાં જમા રાશિની સુરક્ષાને લઈ ચિંતા જતાવવામાં આવી છે. આ બધી ચિંતાઓ દોષપૂર્ણ વિશ્લેષણો પર આધારિત છે. કેન્દ્રીય બેંકે કહ્યું કે આરબીઆઈ બધી જ બેંકોની દેખરેખ રાખે છે. માટે તમામ ખાતાધારકો અને જમાકર્તાઓને આશ્વસ્ત કરે છે કે તેમના કોઈપણ બેંકમાં જમા ધનની સુરક્ષાને લઈ ચિંતા કરવાની જરૂરત નથી.
-
પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને ખડગે પર શર્માની ટિપ્પણીના સમર્થન અંગે સ્પષ્ટતા માગી -
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
ઓમ બિરલા 9 એપ્રિલે ગોવામાં કોમનવેલ્થ સંસદીય પરિષદનું ઉદ્ઘાટન કરશે, જે શાસન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે.












Click it and Unblock the Notifications
