શનિવારે પણ લઈ શકશો ટ્રેડ, 18મીએ BSE- NSE વિશેષ સત્ર યોજશે
Special Trading Session: સ્થાનિક બજારો શનિવાર, 18 મેના રોજ ઇક્વિટી તેમજ ઇક્વિટી ડેરિવેટિવ સેગમેન્ટમાં ખાસ ટ્રેડિંગ સેશન માટે ખુલ્લા રહેશે. જોકે, શેરબજારો નિયમિત ટ્રેડિંગ કલાક દરમિયાન ખુલશે નહીં, પરંતુ બે ટ્રેડિંગ સેશનના ટૂંકા ગાળા માટે ખુલ્લા રહેશે.
કોઈપણ મોટા વિક્ષેપોના કિસ્સામાં એક્સચેન્જોની આપત્તિની તૈયારીને ચકાસવા માટે એક વિશેષ ટ્રેડિંગ સત્ર યોજવામાં આવશે. નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) એ અલગ-અલગ પરિપત્રોમાં માહિતી આપી હતી કે, કોઈ મોટો વિક્ષેપ આવે અથવા પ્રાથમિક સાઈટ નિષ્ફળતા બતાવે, તો બજારના મધ્યસ્થીઓની તૈયારી ચકાસવા માટે વિશેષ લાઈવ ટ્રેડિંગ સેશન થઈ રહ્યું છે.
ટ્રેડિંગ બે સત્રોમાં હાથ ધરવામાં આવશે, પ્રથમ 45 મિનિટ સુધી ચાલશે, જે સવારે 9:15 વાગ્યે શરૂ થશે, અને સવારે 10 વાગ્યે સમાપ્ત થશે, જ્યારે બીજો સેશનમાં એક કલાકથી વધુનો સમયગાળો છે, જે સવારે 11:30 થી 12:30 વાગ્યા સુધી રહેશે.

બંને સ્ટોક એક્સચેન્જોએ જણાવ્યું હતું કે, ઇક્વિટી અને ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ્સમાં 18 મેના રોજ સ્પેશિયલ લાઇવ ટ્રેડિંગ સેશન દરમિયાન પ્રાથમિક સાઇટ (PR) થી ડિઝાસ્ટર રિકવરી (DR) સાઇટ પર ઇન્ટ્રાડે સ્વિચઓવર હાથ ધરવામાં આવશે.
વધુમાં પ્રથમ સત્ર માટે પ્રી-ઓપન સમયગાળો સવારે 9 થી સવારે 9:08 કલાક સુધીનો રહેશે, જ્યારે બીજા સત્ર માટે પ્રી-ઓપન અને ક્લોઝિંગ સમય અનુક્રમે 11:15 અને 11:23 કલાકનો રહેશે.
તમામ વેપારીઓએ નોંધ લેવી જોઈએ કે, પ્રથમ સત્રના અંત સુધીમાં અમલમાં ન આવતા કોઈપણ ઓપન ઓર્ડરને આગામી સત્રમાં ખસેડવામાં આવશે નહીં, અને બજારો અનુસાર તેને રદ કરવામાં આવશે.
18 મેના રોજ ખાસ ટ્રેડિંગ સત્ર દરમિયાન, વેપારીઓને ડિલિવરી ટ્રેડ પર મૂકવાની મંજૂરી આપવામાં આવશે, અને કોઈ પણ ઇન્ટ્રા-ડે ટ્રેડિંગને મંજૂરી આપવામાં આવશે નહીં, જ્યારે માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી (MTF) દ્વારા નવી પોઝિશન મૂકવામાં આવશે નહીં.
આ ઉપરાંત તમામ સિક્યોરિટીઝ, જેમાં ડેરિવેટિવ સેગમેન્ટમાં ઉપલબ્ધ છે, આ ટ્રેડિંગ સેશનમાં સિક્યોરિટીઝ અથવા ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ્સના ફ્લેક્સિંગની પરવાનગી સાથે 5 ટકાના અપર સર્કિટ બેન્ડ પર મર્યાદા નક્કી કરવામાં આવશે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
