Fact Check: શું એસ્પિરિન ખાવાથી ઠીક થઈ રહ્યો છે કોવિડ-19? સરકારે જણાવી સચ્ચાઈ
કોવિડ-19 વાયરસ નહિ પરંતુ બેક્ટેરિયા છે અને તેનો ઈલાજ એસ્પિરિન જેવી દવાથી કરી શકાય છે. છેવટે શું છે આ વાયરસ પોસ્ટની સચ્ચાઈ. જાણો અહીં..
નવી દિલ્લીઃ કોરોના સામે દેશભરમાં યુદ્ધના ધોરણે રસીકરણનુ કામ ચાલી રહ્યુ છે. આ દરમિયાન સરકાર કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે લડવા માટે પણ પોતાના સ્તરે તૈયારીઓ કરી રહી છે પરંતુ કોરોના સંક્રમણના આ દોરમાં સોશિયલ મીડિયા પર લોકો ભ્રામક મેસેજ કરવાનુ ચૂકી નથી રહ્યા. હવે સોશિયલ મીડિયા પર એક મેસેજ ઝડપથી વાયરલ કરવામાં આવી રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કોવિડ-19 વાયરસ નહિ પરંતુ બેક્ટેરિયા છે અને તેનો ઈલાજ એસ્પિરિન જેવી દવાથી કરી શકાય છે. છેવટે શું છે આ વાયરસ પોસ્ટની સચ્ચાઈ. જાણો અહીં..

વાસ્તવમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરીને જણાવવામાં આવ્યુ છે કે સિંગાપુરના એક એવા વ્યક્તિના શબનુ પરીક્ષણ કરવામાં આવ્યુ જેનુ મોત કોરોનાથી થયુ. આ દરમિયાન જોવા મળ્યુ કે કોરોના વાયરસ નથી એક બેક્ટેરિયા છે અને તેને એસ્પિરિન જેવી દવાથી ઠીક કરી શકાય છે. આ સાથે જ પોસ્ટમાં એ પણ દાવો કરવાાં આવ્યો છે કે સિંગાપુર કોવિડ-19ના શબનુ પરીક્ષણ(ઑટોપ્સી) કરનાર દુનિયામાં પહેલો દેશ બની ગયો છે. સાથે જ જણાવવામાં આવ્યુ કે કોરોના વાયરસ બિમારીને ઠીક કરવામાં એસ્પિરિનની ભૂમિકા પર એક અધ્યયન કરવામાં આવ્યુ છે.
વળી, હવે વાયરસની સચ્ચાઈ જણાવીને પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વિટર કરીને આને સંપૂર્ણપણે નકલી અને ભ્રામક ગણાવ્યુછે. સાથે જ પોતાના ટ્વિટમાં જણાવ્યુ કે કોવિડ-19થી ઠીક થવા માટે એસ્પિરિન નથી. પીઆઈબીએ લખ્યુ કે ફૉર્વર્ડ કરવામાં આવેલા વૉટ્સએપ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે કોવિડ-19 એક વાયરસ નથી પરંતુ એક બેક્ટેરિયા છે અને તેને એસ્પિરિન જેવા એંટીકોઆગુલંટ્સથી ઠીક કરી શકાય છે. જે સંપૂર્ણપણે ફેક છે. આ સાથે જ કહેવામાં આવ્યુ છે કે કોવિડ-19 એક વાયરસ છે બેક્ટેરિયા નહિ જેને એસ્પિરિન જેવી દવા ઠીકથી ઠીક નથી કરી શકાતો.
હવે સરકારે લોકોને આ રીતની ખોટા પોસ્ટ પર વિશ્વાસ ન કરવાની અપીલ કરી છે. તમને જણાવી દઈએ કે આવુ પહેલી વાર નથી જ્યારે કોરોના વાયરસને લઈને એક ભ્રામક મેસેજ સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવ્યો હોય. આ પહેલા ઘણા મેસેજ સામે આવી ચૂક્યા છે. વળી, વનઈન્ડિયા પણ પોતાના વાચકોને અપીલ કરે છે કે તમે આવા વાયરલ મેસેજ પર ભરોસો ન કરો. જો તમને આ રીતની કોઈ તથ્યાત્મક માહિતી જોઈએ તો તમે સરકારની હેલ્થ વેબસાઈટ પર વિઝિટ કરી શકો છો.

Fact Check
દાવો
કોવિડ-19 વાયરસ નથી પરંતુ એક બેક્ટેરિયા છે અને તેને એસ્પિરિનથી ઠીક કરી શકાય છે.
નિષ્કર્ષ
આ દાવો સંપૂર્ણપણે નકલી અને ભ્રામક છે.
રેટિંગ
-
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
અમદાવાદના ભદ્ર ફેરીયા બજાર મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ, જાણો શું કહ્યું કોર્ટે? -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
અમદાવાદના મયુર ડાયકેમ સાથે જોડાયેલા સ્થળો પર ઈન્કમટેક્સના દરોડા -
Weather News: યુપી-બિહાર સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Rupee vs Dollar: ઈરાન-ઈઝરાયલ યુદ્ધની ભારત પર સીધી અસર! ડોલર સામે રૂપિયો ગગડ્યો, શું છે આજનો રેટ? -
ગુજરાતમાં આગામી 7 દિવસ કમોસમી વરસાદની આફત, ત્યારબાદ એપ્રિલમાં હીટવેવની આગાહી -
CSK IPL Schedule 2026: ચેન્નાઈ સુપર કિંગ્સનું શેડ્યૂલ, ફરી દેખાશે માહીનો જલવો, સેમસન પણ મચાવશે તબાહી?











Click it and Unblock the Notifications
