Fact Check: દ્રૌપદી મુર્મૂના આવવાથી બદલાયુ રાષ્ટ્રપતિ ભવનનુ મેનુ, નૉનવેજ અને ડ્રિંક્સ પર બેન, શું છે સત્ય?
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ ભવનની અંદર કોઈપણ પ્રકારના માંસાહારી ખોરાક અથવા આલ્કોહોલ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાનો આદેશ જાહેર કર્યો છે. આ દાવો સાચો છે કે ખોટો જાણો અહીં.
નવી દિલ્લીઃ દ્રૌપદી મુર્મૂએ 25 જુલાઈના રોજ 15માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના નાના ભાઈ તરનિસેન ટુડુએ મીડિયાને જણાવ્યુ હતુ કે તેઓ સાદો અને શાકાહારી ખોરાક ખાવાનુ પસંદ કરે છે. ખાવામાં ડુંગળી કે લસણ પણ ખાતા નથી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર દ્રૌપદી મુર્મૂના નામે એક પોસ્ટ વાયરલ થઈ હતી. લોકોએ આ પોસ્ટને શેર કરીને દાવો કર્યો છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ ભવનની અંદર કોઈપણ પ્રકારના માંસાહારી ખોરાક અથવા આલ્કોહોલ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાનો આદેશ જાહેર કર્યો છે. આ દાવો જે વાયરલ થઈ રહ્યો છે તે હકીકતમાં સંપૂર્ણ રીતે ખોટો હોવાનુ બહાર આવ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ચોક્કસપણે શાકાહારી છે પરંતુ તેમણે આવો કોઈ આદેશ જાહેર કર્યો નથી.

જાણો શું કરવામાં આવી રહ્યો છે દાવો
એક ફેસબુક યુઝરે પોસ્ટ શેર કરી જેમાં લખ્યુ હતુ કે, 'રાષ્ટ્રપતિ ભવનમાં કોઈપણ પ્રકારના માંસાહારી ખોરાક અથવા આલ્કોહોલ પર સંપૂર્ણ પ્રતિબંધ. આપણા હિન્દુ રાષ્ટ્રની શરૂઆત. દરરોજ સવારે આપણા રાષ્ટ્રપતિ બ્રહ્મ મુહૂર્ત (સવારે 4 વાગે) આરતી કરશે.' દાવામાં કહેવામાં આવ્યુ કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ ભવનની અંદર કોઈપણ પ્રકારના માંસાહારી ખોરાક અથવા આલ્કોહોલ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાનો આદેશ જાહેર કર્યો છે.

ફેક્ટ ચેકમાં ખોટો નીકળ્યો સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલો દાવો
જ્યારે PIB ફેક્ટ ચેકે દ્રૌપદી મુર્મૂના નામે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ દાવાને જોયો ત્યારે તપાસ શરૂ થઈ. તેણે ફેક્ટ ચેક કરીને સત્ય જણાવ્યુ છે. પીઆઈબીએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને લખ્યુ કે આ દાવો નકલી છે. આવા કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી.

મીડિયામાં પણ નથી મળ્યા આવા કોઈ રિપોર્ટ
જો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ ભવનની અંદર માંસાહારી ખોરાક અથવા ડ્રીંક પર પ્રતિબંધનો આદેશ આપ્યો હોત તો તે ચોક્કસપણે મોટા સમાચાર અને સમગ્ર મીડિયામાં હોત. જો કે, એવા કોઈ અહેવાલ મળ્યા નથી જે વાયરલ દાવાને સમર્થન આપી શકે. જો કે એવા મીડિયા અહેવાલો મળ્યા હતા જેમાં કહેવામાં આવ્યુ હતુ કે રાષ્ટ્રપતિ મુર્મૂ શુદ્ધ શાકાહારી છે.

Fact Check
દાવો
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ ભવનની અંદર કોઈપણ પ્રકારના માંસાહારી ખોરાક અથવા આલ્કોહોલ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાનો આદેશ જાહેર કર્યો છે.
નિષ્કર્ષ
પીઆઈબીએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને લખ્યુ કે આ દાવો નકલી છે. આવા કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી.
રેટિંગ
-
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
