દીકરીના મોત પર ભાવુક માનો પત્ર, બૉસ પર લગાવ્યા ગંભીર આરોપ, લખ્યુ - વર્કલોડના કારણે આવી ગઈ હતી તણાવમાં
Pune News: 26 વર્ષીય અન્ના સેબેસ્ટિયન પેરાઈલ માર્ચમાં Ernst & Young કંપનીમાં જોડાઈ હતી. પરંતુ અન્ના સેબેસ્ટિયન પેરાઇલે બોસ દ્વારા 'વધારે પડતા વર્કલોડ'ને કારણે આત્મહત્યા કરી લીધી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની માતાએ કંપનીના બૉસ પર ગંભીર આક્ષેપો કરતો લાગણીશીલ પત્ર લખ્યા બાદ મામલો ચર્ચામાં આવ્યો હતો.
સમાચાર અનુસાર, 26 વર્ષની યુવતીનું મૃત્યુ જુલાઈ મહિનામાં થયું હતું. મૃતકની માતાનો આરોપ છે કે તેની પુત્રીના બૉસે તેની પાસેથી એટલું બધુ કામ લીધું કે તે તણાવમાં રહેતી હતી. તેના પર સતત વધુને વધુ કામનું દબાણ આવી રહ્યું હતું, અંતે કામના બોજ હેઠળ તેમની પુત્રી મોતને ભેટી હતી.

તમને જણાવી દઈએ કે 26 વર્ષની અન્ના સેબેસ્ટિયનની આ પહેલી નોકરી હતી. અર્ન્સ્ટ એન્ડ યંગ કંપનીમાં જોડાયા બાદ તે શરૂઆતમાં ખૂબ જ ઉત્સાહિત હતી. અન્ના સેબેસ્ટિયનની માતાએ પત્રમાં તેમની પુત્રીને વૉરિયર ગણાવી હતી અને કહ્યું હતું કે તેણે શાળા-કોલેજની તમામ પરીક્ષાઓમાં ટોપ કર્યું છે.
આટલું જ નહીં, નોકરીમાં જોડાયા પછી તેણે કંપનીમાં અથાક મહેનત કરી. તેણે પત્રમાં લખ્યું છે કે 'હું આ પત્ર એક દુઃખી માતા તરીકે લખી રહી છું, જેણે પોતાનું અમૂલ્ય બાળક ગુમાવ્યું છે. તે 19 માર્ચ, 2024ના રોજ EY પુણેમાં એક્ઝિક્યુટિવ તરીકે જોડાઈ હતી. પરંતુ ચાર મહિના પછી, 20 જુલાઈના રોજ, જ્યારે મને અન્નાના નિધનના સમાચાર મળ્યા ત્યારે મારી દુનિયા ભાંગી પડી.'
તે માત્ર 26 વર્ષની હતી. અન્નાને યોદ્ધા તરીકે વર્ણવતા, માતા અનિતાએ કહ્યું, 'વર્કલોડ, નવું વાતાવરણ અને લાંબા કામના કલાકોએ તેને શારીરિક, ભાવનાત્મક અને માનસિક રીતે અસર કરી. જોડાયા પછી તરત જ તે ચિંતા, અનિદ્રા અને તાણ અનુભવવાનું શરૂ કર્યું, પરંતુ તેણે પોતાની જાતને આગળ ધપાવવાનું ચાલુ રાખ્યું, એમ માનીને કે સખત મહેનત અને દ્રઢતા એ સફળતાની ચાવી છે.'
પત્રમાં કહેવામાં આવ્યું છે કે તેણે મોડી રાત સુધી કામ કર્યું હતું અને તેને વીકેન્ડમાં પણ કામ કરવું પડતું હતું. તેને શ્વાસ લેવાનો પણ સમય આપવામાં આવ્યો ન હતો. પત્રમાં વધુમાં લખવામાં આવ્યું હતું કે તે છેલ્લા એક સપ્તાહથી છાતીમાં જકડાઈ જવાની ફરિયાદ કરી રહી હતી. ડૉક્ટરે તેને આરામ કરવાની સલાહ આપી હતી.
પરંતુ, ડૉક્ટરને બતાવ્યા પછી, તેણે પહેલાની જેમ કામ કરવાનું શરૂ કર્યું. તેણે કહ્યું કે ઘણું કામ કરવાનું છે અને તેને કોઈ રજા નહીં મળે. તેણે કહ્યું કે એકવાર તેના આસિસ્ટન્ટ મેનેજરે તેને રાત્રે એક ટાસ્ક માટે બોલાવી જે તેણે બીજા દિવસે સવારે પૂર્ણ કરવાનું કહ્યું. તે આખી રાત કામ કરતી રહી.
બીજા દિવસે સવારે તે આરામ કર્યા વગર ઓફિસ પહોંચી ગઈ. એટલું જ નહીં, અન્નાએ તેના પિતાને કહ્યું હતું કે કામનું ભારણ ઘણું વધારે છે, ખાસ કરીને સત્તાવાર કામ સિવાય મૌખિક રીતે વધારાનું કામ આપવામાં આવે છે. તેમણે કહ્યું કે મારી પુત્રીનું મૃત્યુ E&Y માટે ચેતવણી છે અને કંપનીના ચેરમેન માટે પણ એક સંદેશ છે.
તેણે લખ્યું, 'હું આશા રાખું છું કે આ પત્ર તે જ ગંભીરતા સાથે તમારા સુધી પહોંચશે જે તેને પહોંચવો જોઈએ.' તમને જણાવી દઈએ કે ચોંકાવનારી વાત એ છે કે એનાના અંતિમ સંસ્કારમાં EYમાંથી કોઈએ હાજરી આપી ન હતી.
Heartbreaking news from EY Pune - a young CA succumbed to the work pressure and nobody from EY even attended her funeral - this is so appalling and nasty!!! pic.twitter.com/pt8ThUKiNR
— Malavika Rao (@kaay_rao) September 17, 2024
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
