જાણો કેટલા ધનવાન છે આસારામ તથા અન્ય બાબા
નવી દિલ્હી, 6 ઓક્ટોબર: દેશભરમાં હાલ આસારામ બાપૂ ચર્ચામાં છે. તે પણ કોઇ ધાર્મિક પ્રવચન માટે નહી પરંતુ યૌન શોષણા તે કેસના લીધે જે શાહજહાંપુરની એક બાળકીએ તેમના પર લગાવ્યો છે. હવે બે અન્ય મહિલાઓ પણ આગળ આવી છે. પહેલી અમદાવાદની અને બીજી સુરતની. બંને બહેનો છે અને તેમના દાવો છે કે બાબા તથા તેમના પુત્ર નારાયણ સાંઇએ તેમનું યૌન શોષણ કર્યું છે.
એવામાં સૌથી મોટો પ્રશ્ન થાય છે કે તે એ છે કે આસારામ જેવા બાબાઓના આશ્રમમાં કેટલું બધુ થઇ જાય છે અને લોકો ફરિયાદ કરવાની હિંમત પણ એકઠી કરી શકતા નથી. સામાન્ય રીતે મોટાભાગના કેસમાં જોવા મળ્યું કે પીડિત તે પરિસ્થિતીમાં ફરિયાદ કરી શકતી નથી, જ્યારે તે વધુ ગરીબ હોય છે અને તેના પર જુલમ ઉઠાવનાર કરોડપતિ.
જો વાત કરોડપતિની કરીએ તો ફક્ત આસારામ બાપૂ જ દેશના કરોડપતિ બાબા નથી. તેમના ઉપરાંત કેટલાક અન્ય બાબા છે, જેમના કરોડો ભક્ત આખી દુનિયામાં ફેલાયેલા છે અને તેમની પાસે અઢળક સંપત્તિ છે. અમે અહીં દેશના કેટલાક યોગીના નામ ગણાવવા જઇ રહ્યાં છીએ, જેમની પાસે કરોડો-અરબોની સંપત્તિની છે. તે પહેલાં અમે તમને જણાવી દઇએ કે અમે ફક્ત સંપત્તિનું વિવરણ આપી રહ્યાં છીએ, એમ ક્યારેય કહી નથી રહ્યાં કે બધા યોગીઓના આશ્રમમાં ખોટું કામ થઇ રહ્યું છે.

આસારામ બાપૂ
સંત આસારામ બાપૂ પાસે કુલ સંપત્તિ 413 કરોડ રૂપિયાની છે, જ્યારે તેમના ટ્રસ્ટનું વાર્ષિક ટર્ન ઓવર 350 કરોડ છે.

બાબા રામદેવ
દેશ-વિદેશમાં યોગના સૌથી મોટા ગુરૂના રૂપમાં પ્રસિદ્ધ બાબા રામદેવની પાસે 1300 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

માતા અમૃતાનંદામાયી
કેરલની ગુરૂમાતા અમૃતાનંદામાયીના 3 કરોડથી વધુ ભક્તો છે. તેમની પાસે 1700 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

ગુરમીત રામ રહીમ
હરિયાણા-પંજાબમાં સૌથી ચર્ચિત ધાર્મિક સંગઠન ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ સંત ગુરમીત રામ રહીમ પાસે સિરસામાં 700 એકર જમીન છે. 250થી વધુ આશ્રમ અને કુલ સંપત્તિ 300 કરોડ રૂપિયા છે.

આચાર્ય બાલકૃષ્ણ
રામદેવના સહયોગી તથા સૌથી રામદેવાના અંગત આચાર્ય બાલકૃષ્ણ પાસે 34 કંપનીઓ છે, જેનું વાર્ષિક ટર્નઓવર 265 કરોડ રૂપિયા છે. ઉત્તરાખંડમાં સ્થિત ફાર્માકંપનીઓનું ટર્નઓવર 94.84 કરોડ રૂપિયા છે.

નિર્મલ બાબા
તાજેતરમાં જ વિવાદોમાં ફસાયેલા નિર્મલ બાબા પાસે 238 કરોડ રૂપિયાનું ટર્નઓવર આપનારી સંપત્તિ છે. એપ્રિલમાં નિર્મલ બાબાએ 70 કરોડની એક સંપત્તિ ખરીદી.તે પહેલાં તમે તેમની સંપત્તિનો અંદાજો લગાવી શકો છો.

પૉલ દિનાકરણ
દક્ષિણ ભારતના ઇસાઇ બાબા પૉલ દિનાકરણનું વાર્ષિક ટર્નઓવર 5000 કરોડ રૂપિયા છે.

શ્રી શ્રી રવિશંકર
આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રીશ્રી રવિ શંકરની સંપત્તિનો અંદાજો તમને આનાથી આવી શકે છે કે તેના વ્યાપારનું વાર્ષિક ટર્નઓવર 500 કરોડ સુધી રહે છે.

સંત મોરારી બાપૂ
કૃષ્ણ ભક્તિ માટે મશહૂર સંત મોરારી બાપૂનું વાર્ષિક ટર્ન ઓવર 300 કરોડ રૂપિયા હોય છે.

મહર્ષિ મહેશ યોગી
50 લાખથી વધુ ભક્તોમાં જેમના પ્રત્યે આસ્થા છે, તે મહર્ષિ મહેશ યોગી પાસે 250 કરોડ રૂપિયાની સંપત્તિ છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ










Click it and Unblock the Notifications
