વીજળીના કડાકા વચ્ચે ફોન પર વાત કરો છો તો સાવધાન, સર્જાઈ શકે છે મોટી દુર્ઘટના
તમે ઘણા લોકોને કહેતા સાંભળ્યા હશે કે વીજળીના કડાકા થતા હોય ત્યારે મોબાઈલનો ઉપયોગ ન કરાય. આ બાબતે ઘણા લોકોમાં મતમતાંતર પણ જોવા મળે છે.
વરસાદ દરમિયાન વીજળીના કડાકા થાય ત્યારે લોકો વારંવાર તેમના ઇલેક્ટ્રિક ઉપકરણોને બંધ કરી દે છે. તેની પાછળનું કારણ બહુ ઓછા લોકો જાણે છે.

નિષ્ણાતોના મતે જ્યારે પણ આપણે મોબાઈલ ફોનનો ઉપયોગ કરીએ છીએ ત્યારે તે અલ્ટ્રાવાયોલેટ કિરણો ઝડપથી ઉત્સર્જન કરે છે. આ કિરણો વીજળીને ઝડપથી પોતાની તરફ આકર્ષિત કરે છે. એક મેડિકલ જર્નલમાં એવો ખુલાસો થયો છે કે વીજળી પડવાથી ઘણા લોકોના મોત થયા તેમાથી મોટાભાગની છોકરીઓ સામેલ હતી.
આ લોકો વરસાદમાં તેમના સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા હતા ત્યારે તેમના પર વીજળી પડી. આ જ કારણ છે કે એવું કહેવામાં આવે છે કે જ્યારે પણ વીજળી પડે ત્યારે મોબાઈલ ફોન બંધ કરી દેવો જોઈએ અને ખુલ્લા આકાશમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.
વીજળી દરમિયાન ઘરમાં ઉપયોગમાં લેવાતા તમામ ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ જેમ કે ટીવી, ફ્રીજ, કુલર, સ્માર્ટ ટીવી બંધ કરી દેવા જોઈએ. આ ઉપરાંત લેપટોપ વીજળીને પણ આકર્ષે છે, તેથી વરસાદ દરમિયાન ટીન શેડ નીચે બેસીને તેનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.
આ ઉપરાંત આ સિઝનમાં ઇલેક્ટ્રિક થાંભલા પણ કંડક્ટર તરીકે કામ કરે છે, તેથી વરસાદમાં તેનાથી પણ દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. વરસાદની મોસમ દરમિયાન તે તમામ ઉપકરણોથી દૂર રહેવાનું કહેવામાં આવે છે.
cdc.gov નામની વેબસાઇટ જણાવે છે કે સેલ ફોન અને કોર્ડેડ ફોનનો ઉપયોગ તોફાન અને વીજળી દરમિયાન થઈ શકે છે. એકમાત્ર શરત એ છે કે તેઓ કોઈપણ રીતે ચાર્જર અથવા જમીન સાથે જોડાયેલા ન હોવા જોઈએ. આ સમયગાળા દરમિયાન વાયરવાળા લેન્ડલાઇન ફોન અને ચાર્જર પરના સ્માર્ટફોનનો ઉપયોગ કરવો જોઈએ નહીં.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
