Chanakya Niti: તમારુ મૃત્યુ છે નજીક! જો પસાર થઈ રહ્યા હોવ જીવનમાં આવી પરિસ્થિતિમાં
Chanakya Niti: ચાણક્યએ જીવનના દરેક પાસાંઓ સંબંધિત સમસ્યાઓ માટે સૂચનો આપ્યા છે. રાજકીય, આર્થિક અને સામાજિક બધા મુદ્દાઓ અને સમસ્યાઓના ઉકેલની રીતો બતાવી છે. આ નીતિઓ આજે પણ એટલી જ પ્રાસંગિક છે.
ચાણક્ય નીતિ પોતાના જીવનમાં અનુસરવાથી જીવન સરળ બની જાય છે. ચાણક્યએ અમુક એવી પરિસ્થિતિઓ જણાવી છે જે તમારા જીવનમાં આવે તો સમજી લો કે તે સમય મૃત્યુ સમાન છે. આવો જાણીએ આવી પરિસ્થિતિઓ વિશે...

ચાણક્યએ સંસ્કૃતના શ્લોકો દ્વારા વિશ્વને પોતાની નીતિઓ જણાવી છે. તેમના પુસ્તક અર્થશાસ્ત્રનો એક મહત્વપૂર્ણ શ્લોક છે:
दुष्टा भार्या शठं मित्रं भृत्यश्चोत्तरदायकः।
ससर्पे गृहे वासो मृत्युरेव न संशयः॥
આ શ્લોકનો ભાવાર્થ છેઃ
દુષ્ટ પત્ની, કપટી મિત્ર, વાદવિવાદ કરનાર નોકર અને સાપવાળા ઘરમાં રહેવુ - આ બધા મૃત્યુના કારણો છે અને તેમાં શંકા ન કરવી જોઈએ.
- ચાણક્ય કહે છે કે જેની પત્ની દુષ્ટ હોય તેનુ જીવન મૃત્યુ સમાન છે. પત્ની જીવનસાથી હોય છે, સુખ-દુઃખની સાથી હોય છે પરંતુ જો આ પત્ની તમારી સાથે ઈમાનદારી ના રાખે, અહીંની વાત તહીં કરે, ઘરમાં કલેશ અને ઝઘડાઓ કરે, પોતાની જવાબદારીઓના નિભાવે, તો પતિ બીમાર થઈ જાય છે અને જલ્દી મૃત્યુ પામે છે.
- કપટી મિત્રો ચહેરા પર ચિકની ચુપડી વાતો કરે, તમારા રહસ્યો જાણે અને પછી તમારી નબળાઈ અન્યને જણાવી દે. આવી સ્થિતિમાં તમે જીવનમાં પ્રગતિ કરી શકતા નથી.
- નોકરનુ કામ આદેશનુ પાલન કરવાનુ છે. જો સેવકો તમારા દરેક આદેશ પર દલીલ કરવા લાગે અને તમારી સૂચના મુજબ કામ કરવાને બદલે તેમની સમજણથી ચાલવા લાગે તો માનસિક કલેશ થાય છે અને તમે તણાવમાં બીમાર પડી શકો છો.
- આ બધા ઉપરાંત ચાણક્ય એમ પણ કહે છે કે જે ઘરમાં સાપ રહે છે, એટલે કે જો તમારા ઘરમાં સાપ રહેવા લાગે છે, તો એ પણ એ વાતનો સંકેત છે કે તમારુ મૃત્યુ નજીક છે.
ઉપર જણાવેલ બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે. જે તણાવનુ કારણ બને અને મૃત્યુ તરફ દોરી જાય એવી પરિસ્થિતિઓથી વ્યક્તિએ દૂર રહેવુ જોઈએ
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
