Chanakya Niti : સ્ત્રીઓમાં પુરુષોથી આટલા ગણી વધુ હોય છે આ વસ્તુ, સામેથી ક્યારેય નથી કહેતી
ચાણક્યે સ્ત્રીઓના આ કામો વિશે વિસ્તારથી જણાવ્યું છે. પુરૂષોની તુલનામાં અમુક વસ્તુઓ સ્ત્રીઓમાં અનેક ગણી હોય છે. આજે આપણે એ વસ્તુઓ વિશે જાણીશું.
Chanakya Niti : મહાન વિદ્વાન, નીતિશાસ્ત્ર, કુટનીતિજ્ઞ, શિક્ષક, રણનીતિકાર અને અર્થશાસ્ત્રી આચાર્ય ચાણક્યે પોતાના નીતિશાસ્ત્રમાં સ્ત્રિઓ વિશે ઘણા તથ્યો જણાવવામાં આવ્યા છે. જેના દ્વારા સ્ત્રીઓની જીજ્ઞાશા અને અરમાનોની જાણકારી મેળવી શકાય છે.
ચાણક્યે સ્ત્રીઓના આ કામો વિશે વિસ્તારથી જણાવ્યું છે. પુરૂષોની તુલનામાં અમુક વસ્તુઓ સ્ત્રીઓમાં અનેક ગણી હોય છે. આજે આપણે એ વસ્તુઓ વિશે જાણીશું.
આ કારણે મહિલાઓને માનવામાં આવે છે શક્તિનું સ્વરૂપ
આચાર્ય ચાણક્યે જણાવ્યું છે કે, સ્ત્રીઓમાં પુરુષો કરતાં છ ગણી વધુ હિંમત હોય છે. તેથી તેમને શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે. ચાણક્ય નીતિ અનુસાર, સ્ત્રીઓમાં શરમ પણ પુરુષો કરતાં ચાર ગણી વધારે હોય છે.
મહિલાઓમાં 8 ગણી વધુ હોય છે કામ ઈચ્છા
આચાર્ય ચાણક્યએ પોતાની નીતિઓમાં જણાવ્યું છે કે, મહિલાઓમાં પુરૂષો કરતાં આઠ ગણી વધુ કામેચ્છા હોય છે, પરંતુ શરમના કારણે તેઓ તેમની સામે આવવા દેતી નથી.
ચાણક્ય અનુસાર મહિલાઓમાં પણ ખૂબ જ સહનશક્તિ હોય છે,. તેથી જ તેઓ પરિવારને સારી રીતે સંભાળી શકે છે.
સ્ત્રીઓને વધુ હોય છે ભૂખ
આચાર્ય ચાણક્ય કહે છે કે, મહિલાઓને પુરૂષો કરતા બમણી ભૂખ લાગે છે, એટલે કે તેમનો આહાર બમણો છે. જોકે, હાલની રહેણીકરણી અને ખાનપાનમાં ગરબડને કારણે મહિલાઓના આહારમાં ઘટાડો થયો છે.