ચાણક્ય નીતિઃ મહિલાઓ આ બાબતોમાં પુરુષોથી પણ હોય છે શ્રેષ્ઠ, નહિ કરી શકાય તેમનો મુકાબલો
ચાણક્ય નીતિ મુજબ મહિલાઓ અમુક બાબતોમાં પુરુષોથી પણ શ્રેષ્ઠ હોય છે. આ બાબતોમાં તેમનો મુકાબલો સંભવ નથી.
આચાર્ય ચાણક્યએ માત્ર અર્થશાસ્ત્ર અને રાજ્ય નીતિ જ નહિ પરંતુ મનુષ્યના સામાજિક જીવન, પારિવારિક સંબંધો, મિત્રતા-શત્રુતા, નૈતિકતા વગેરે વિષયો પર પણ પોતાના વિચારો અને સિદ્ધાંતોની વિસ્તારપૂર્વક ચર્ચા કરી અને તેને લેખિતમાં શેર કર્યા. તેમની નીતિઓ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. ચાણક્યના જણાવ્યા મુજબ મહિલાઓ ઘણી બાબતોમાં પુરુષોથી આગળ રહે છે, જાણો કઈ છે આ વસ્તુઓ...

પુરુષો કરતા ભૂખ બમણી
ચાણક્ય જણાવે છે કે કેટલીક બાબતો એવી હોય છે જેમાં મહિલાઓ પુરૂષો કરતા અનેક ગણી આગળ હોય છે. તે આ રીતે એક શ્લોકમાં તેનો ઉલ્લેખ કરે છે -
स्त्रीणां द्विगुण आहारो लज्जा चापि चतुर्गुणा
साहसं षड्गुणं चैव कामश्चाष्टगुणः स्मृतः ॥
શ્લોકની પ્રથમ પંક્તિમાં ચાણક્યના મત મુજબ સ્ત્રીઓમાં ખાવાની ક્ષમતા એટલે કે ભૂખ પુરૂષો કરતાં બમણી હોય છે કારણ કે તેમને વધુ ઊર્જાની જરૂર હોય છે. તેમની શારીરિક રચના અને કામના ભારણને કારણે તેમને વધુ કેલરીની જરૂર પડે છે. આ સાથે તેઓ કહે છે કે મહિલાઓમાં શરમ અથવા લજ્જા પણ પુરુષો કરતા 4 ગણી વધારે હોય છે.

પુરુષો કરતા વધુ હિંમત અને સહનશીલતા
શ્લોકની બીજી પંક્તિમાં ચાણક્ય કહે છે કે સ્ત્રીઓમાં પુરુષો કરતાં 6 ગણી વધુ હિંમત અને સહનશીલતા હોય છે. તેથી જ મહિલાઓ પ્રતિકૂળ પરિસ્થિતિઓને પણ સહન કરવા સક્ષમ હોય છે. તેઓ શક્તિનુ સ્વરૂપ બની જાય છે અને સમસ્યાઓથી ડરવાને બદલે તેઓ તેમનો સામનો કરે છે.

કામેચ્છા વધુ
આ સાથે મહિલાઓમાં પુરુષો કરતા આઠ ગણી વધુ કામેચ્છાઓ હોય છે, પરંતુ સંકોચ અને સહનશીલતા જેવા ગુણોને કારણે તેઓ આ ઈચ્છાઓને કાબૂમાં રાખવામાં સક્ષમ હોય છે. નોંધ: આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. વનઈન્ડિયા લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતુ નથી. કૃપા કરીને કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
-
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો







Click it and Unblock the Notifications
