તમને ખબર છે તાજ મહેલ બનાવવામાં વપરાયો છે ઘણા ટન ગોળ? જાણો કેમ?
ભારતના આગ્રામાં બનેલો તાજમહેલ દુનિયાભરમાં પ્રેમના પ્રતિક તરીકે જાણીતો છે. આ તાજમહેલ જેટલો જાણીતો છે તેટલો જ રહસ્યોથી પણ ભરેલો છે.
22 વર્ષમાં 22 હજાર મજૂરો દ્વારા બનાવવામાં આવેલ તાજમહેલની સુંદરતા 366 વર્ષ પછી પણ એવી જ છે. તાજમહેલને જોઈને ઘણા લોકોના મનમાં આ સવાલ ઉઠે છે કે આ ઈમારત આટલા વર્ષો સુધી આટલી સુંદર કેવી રીતે રહી અને કેવી રીતે બની?

શું તમે જાણો છો કે આ પ્રેમનું પ્રતીક બનાવવા માટે કામદારોએ એક ખાસ ટેકનિકનો ઉપયોગ કર્યો હતો. જેના માટે કેટલાય ટન ગોળની પણ જરૂર પડી હતી.
તાજમહેલના નિર્માણની પ્રક્રિયા 1631 માં શરૂ થઈ અને તે 1648 માં પૂર્ણ થઈ. તેના નિર્માણમાં 38 વિશેષ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એક હજારથી વધુ હાથીઓ તેના બાંધકામ માટેની સામગ્રી લઈ જવા માટે દિવસ-રાત મહેનત કરી રહ્યા હતા.
આ ઇમારતને વિશેષ બનાવવા તેના નિર્માણમાં એક ખાસ પ્રકારના કોટિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ઘણા ટન ગોળમાંથી તૈયાર કરવામાં આવ્યો હતો. ઈમારતને મજબૂત કરવા માટે જે ખાસ કોટિંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે શણ, કાંકરા, ગોળ, દહીં, બેલગીરી પાણી અને અડદની દાળમાંથી તૈયાર કરવામાં આવ્યુ હતુ. જેના દ્વારા પત્થરોને એકસાથે ચોંટાડાયા છે.
જણાવી દઈએ કે, તે સમયે તાજમહેલને બનાવવામાં 32 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. જે આજના સમયમાં 52,800 કરોડ રૂપિયા બરાબર છે. તાજમહેલ પારસી અને ઇસ્લામિક કલાનું ઉત્તમ ઉદાહરણ છે. યુનેસ્કો દ્વારા 1983 માં તેના ભવ્ય આર્ટવર્ક માટે તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
