Fertility Rate in India : ભારતમાં સૌથી વધુ બાળકો કયા ધર્મના લોકો પેદા કરે છે? જાણો લિસ્ટમાં મુસ્લિમો ક્યાં?
Fertility Rate in India : ભારતમાં વસ્તી વધારાને લઈને ઘણા સવાલો છે. વધી રહેલી વસ્તી વચ્ચે તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં તમામ ધર્મોના લોકો ઓછા બાળકો પેદા કરી રહ્યાં છે.
ભારતમાં દરેક ધર્મના લોકો રહે છે. પરંતુ છેલ્લા કેટલાક દાયકાઓમાં ભારતમાં પ્રજનન દર ઝડપથી ઘટી રહ્યો છે. પ્યુ રિસર્ચના અનુસાર, આગામી 26 વર્ષમાં ભારતમાં પ્રજનન દર ઘટીને 1.29 થઈ જશે.

જણાવી દઈએ કે, હાલ ભારતમાં પ્રજનન દર 1.91 છે, જે વર્ષ 2021ના ડેટા પર આધારિત છે. વર્ષ 1950માં પ્રજનન દર 6.18 હતો. એટલે કે તે સમયે સ્ત્રી દીઠ બાળકોની સરેરાશ સંખ્યા 6.18 હતી. આજે સરેરાશ ભારતીય મહિલાનો પ્રજનન દર 2.2 છે. જે અમેરિકા જેવા વિકસિત દેશો કરતાં વધુ છે.
હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, બૌદ્ધ અને જૈન સહિત ભારતમાં દરેક ધર્મમાં પ્રજનન દર ઘટી રહ્યો છે. ભારતીય મુસ્લિમોમાં પ્રજનન દર નોંધપાત્ર રીતે ઘટ્યો છે.
વર્ષ 1992માં પ્રતિ મહિલા 4.4 બાળકો હતા, જે 2015માં 2.6 બાળકો પર પહોંચી ગયો. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે મુજબ 2015 સુધીના જ ધાર્મિક ડેટા ઉપલબ્ધ છે.
ભારતમાં હજુ પણ મુસ્લિમોમાં સૌથી વધુ પ્રજનન દર છે. આ પછી હિન્દુઓમાં 2.1, જૈન ધર્મમાં સૌથી ઓછો પ્રજનન દર 1.2 છે. આ પેટર્ન વર્ષ 1992 જેવી જ છે. તે સમયે પણ મુસ્લિમોમાં પ્રજનન દર સૌથી વધુ 4.4 હતો. આ પછી હિન્દુઓમા્ં 3.3 હતો.
ભારતના ધાર્મિક જૂથો વચ્ચે બાળજન્મનું અંતર સામાન્ય રીતે પહેલા કરતા ઓછું છે. 1992માં મુસ્લિમ મહિલાઓને હિંદુ મહિલાઓ કરતાં સરેરાશ 1.1 વધુ બાળકોની અપેક્ષા હતી, પરંતુ 2015 સુધીમાં આ તફાવત ઘટીને 0.5 થઈ ગયો છે.
2011ની વસ્તી ગણતરીના ડેટા અનુસાર, ભારતમાં સૌથી વધુ વસ્તી (79.8 ટકા) હિંદુઓની છે, જે 2001ની વસ્તી ગણતરીની સરખામણીમાં 0.7 ટકા ઓછી છે. જ્યારે મુસ્લિમોની વસ્તી જે 2001માં 13.4 ટકા વધી હતી તે 2011માં 14.2 ટકા થઈ ગઈ હતી. 4.4 ટકાનો વધારો થયો છે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
