સાંપ્રદાયિક રમખાણોમાં સૌથી વધુ સળગ્યું ઉત્તર પ્રદેશ
નવી દિલ્હી, 26 જૂન: 21મી સદી દરમિયાનમાં ભારત આજે પણ રમખાણોની આગમાં દરરોજ સળગે છે. હર ઘડી બધાને એ વાતનો ડર લાગે છે કે ક્યાંક રમખાણો ન થઇ જાય. વર્ષ 2013 દરમિયાન ભારત સંપૂર્ણપણે રમખાણોની આગમાં સળગી ઉઠ્યું. જે રકમ વિકાસના પથ પર પાથરવાની હતી તેને રમખાણોની આગમાં નાખવામાં આવી. મતલબ સ્પષ્ટ છે કે જો રમખાણો થશે તો વિકાસ થઇ શકશે નહી. અહીં દેશના એવા 5 રાજ્ય છે જ્યાં સૌથી વધુ રમખાણો થયા.
વર્ષ 2013 દરમિયાન ઉત્તર પ્રદેશમાં કુલ 93 સાંપ્રદાયિક રમખાણો થયા. આ રમખાણોમાં 62 લોકોના મોત નિપજ્યાં છે જેમાંથી 42 મુસ્લિમ અને 20 હિન્દુ હતા. આ ઉપરાંત 108 વાર યૂપીમાં રમખાણોને લઇને તણાવની સ્થિતી પેદા થઇ.
વર્ષ 2013માં મહારાષ્ટ્ર રાજ્યની અંદર 64 સાંપ્રદાયિક રમખાણો થયા. આ રમખાણોમાં 11 લોકોના મોત નિપજ્યાં અને 271 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. અહીં થયેલા રમખાણોમાં 101 હિન્દુ, 106 મુસ્લિમ અને 64 પોલીસકર્મીઓના મોત નિપજ્યા. બિહારમાં કુલ 63 વખત સાંપ્રદાયિક રમખાણો થયા છે. રમખાણોમાં મૃતકોની સંખ્યા 2 હતી. આ રમખાણ ઇદના ફક્ત એક દિવસ બાદ થયા હતા.
ઉત્તર પ્રદેશ
વર્ષ 2013 દરમિયાન ઉત્તર પ્રદેશમાં કુલ 93 કોમી રમખાણો થયા. આ રમખાણોમાં 62 લોકોના મોત નિપજ્યાં જેમાંથી 42 હિન્દુ અને 20 હિન્દુ હતા. આ ઉપરાંત 108 વાર યૂપીના રમખાણોને લઇને તણાવની સ્થિતી પેદા થઇ.
મહારાષ્ટ્ર
વર્ષ 2013માં મહારાષ્ટ્ર રાજ્યની અંદર 64 કોમી રમખાણો થયા. આ રમખાણોમાં 11 લોકોના મોત નિપજ્યા હતા અને 271 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અહીં થયેલા રમખાણોમાં 101 હિન્દુ, 106 મુસ્લિમ અને 64 પોલીસકર્મીઓના મોત નિપજ્યાં હતા.
મધ્ય પ્રદેશ
મધ્ય પ્રદેશમાં વર્ષ 2013 દરમિયાન ફક્ત એક જ વખત રમખાણો થયા હતા. એક ગાયની હત્યાના મુદ્દે અહીં રમખાણો થયા હતા.
બિહાર
બિહારમાં કુલ 63 વખત સાંપ્રદાયિક રમખાણો થયા છે. રમખાણોમાં મૃતકોની સંખ્યા 2 હતી. આ રમખાણ ઇદના બીજા દિવસે જ થયા હતા.
કર્ણાટક
વર્ષ 2013 દરમિયાન કર્ણાટક રાજ્યમાં 73 રમખાણો થયા. આ રમખાણોમાં 30થી વધુ લોકોના મોત નિપજ્યા હતા.