Flying River : શું હોય છે ફ્લાઈંગ રિવર? જાણો કેમ પૂરનું કારણ બની રહી છે?
છેલ્લા કેટલાક સમયથી દુનિયાના ઘણા દેશોમાં નદીઓના પૂરને કારણે ભયાનક તબાહીઓ જોવા મળી છે. તમને જાણીને નવાઈ લાગશે કે આમ થવા પાછળ ફ્લાઈંગ રિવરને જવાબદાર માનવામાં આવે છે.
હવે આ સ્થિતીમાં તમને સવાલ થતો હશે કે આખરે આ ફ્લાઈંગ રિવર છે શું અને કેવી રીતે વિનાસનું કારણ બને છે? આ બાબત આજે અમે તમને વિગતે સમજાવવાના છીએ.

વૈજ્ઞાનિકોના મતે, ગ્લોબલ વોર્મિંગના કારણે ભેજમાં ભારે વધારા સાથે એક પ્રકારનું તોફાન સ્થિતિને વધુ ખરાબ કરી રહ્યું છે. આ વાવાઝોડાને એટમોસ્ફેરિક રિવર તરીકે ઓળખવામાં આવે છે.
સરળ શબ્દોમાં કહીએ તો આકાશમાં સર્જાતા આ તોફાનોને ફ્લાઈંગ રિવર એટલે કે ઉડતી નદીઓ અથવા વાતાવરણની નદીઓ પણ કહેવામાં આવે છે.
આ પાણીની વરાળના રિબન બેન્ડ જેવા હોય છે, જે ગરમ સમુદ્રમાંથી બાષ્પીભવન દ્વારા રચાય છે અને દેખાતા નથી. આ વરાળ વાતાવરણના નીચેના ભાગમાં એક પ્રકારની પટ્ટી બનાવે છે જે ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાંથી ઠંડા પ્રદેશોમાં જાય છે અને વરસાદ અથવા બરફના રૂપમાં પડે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે કોઈપણ વિસ્તારમાં પૂર અથવા વિનાશક બરફવર્ષા કરવા માટે તે આ પુરતુ વિનાશક હોય છે.
તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત જ નહીં દુનિયાના ઘણા દેશોમાં પૂરની સ્થિતીમાં મોટો વધારો થયો છે. આ પૂરને કારણે હજારો લોકોના જીવ ગયા છે અને અરબો રૂપિયાની સંપતિનો વિનાશ થયો છે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ










Click it and Unblock the Notifications
