જાણો આપણા જીવનમાં ગુરુ પૂર્ણિમાનું મહત્વ
[ધર્મ] હિંદુ કેલેંડર અનુસાર શ્રાવણ મહીનાની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. શ્રાવણના મહીનો મધ્ય જુલાઇમાં આવે છે, આ દિવસોમાં ખૂબ જ વરસાદ થાય છે. હિન્દુ અને બૌદ્ધ બંને ધર્મમાં આ દિવસનું આગવું મહત્વ છે. આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આ લેખ દ્વારા અમે આપને જણાવી રહ્યા છીએ આપણા જીવનમાં આ દિવસનું શું છે મહત્વ.
બૌદ્ધ ધર્મમાં ગુરુ પૂર્ણિમાનું મહત્વ
બૌદ્ધ ધર્મમાં આ દિવસને ઘણો મોટો તહેવાર માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે આજ દિવસે ભગવાન બૌદ્ધે સારનાથમાં પ્રબુદ્ધતા પ્રાપ્ત કર્યા બાદ પોતાનો પહેલો ઉપદેશ આપ્યો હતો. આ પ્રકારે બૌદ્ધ ધર્મમાં આ દિવસને ખાસ મહત્વ આપવામાં આવે છે.

હિંદુ ધર્મમાં ગુરુ પૂર્ણિમાનું મહત્વ
હિંદુ ધર્મમાં ગુરુ પૂર્ણિમાને મહાન સંત વ્યાસના જન્મદિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. વેદવ્યાસને હિંદુ મહાગ્રંથ મહાભારતના રચયિતા માનવામાં આવે છે, તેમણે જ બ્રહ્માસૂત્ર પણ લખ્યું હતું. માનવામાં આવે છે કે આ દિવસે વ્યાસનો જન્મ થયો હતો અને આ જ દિવસે તેમણે બ્રહ્માસૂત્રને લખીને સમાપ્ત કર્યું હતું, જેને હિંદુ ધર્મમાં પાંચમાં વેદ તરીકે માનવામાં આવે છે.
શિક્ષક-વિદ્યાર્થીના સંબંધોને પ્રગાઢ કરતો દિવસ
ભારતમાં ગુરુપૂર્ણિમાના દિવસે, લાંબા સમયથી રજા રાખવામાં આવે છે. આ દિવસે વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકોને સન્માન આપતા તેમના માટે કંઇક ભેંટ લાવે છે, તેમના દૈનિક કાર્યો કરી આપે છે અને તેમને સમર્પિત કોઇ વિશેષ કાર્યક્રમનું આયોજન કરે છે. આ દિવસે ભગવાન શિવની પૂજા પણ કરવામાં આવે છે.
-
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026





Click it and Unblock the Notifications
