Hardeep Nijjar: કોણ હતો આ હરદીપ નિજ્જર, જેના કારણે ભારત અને કેનેડા વચ્ચે થયો તણાવ
Hardeep Nijjar: હરદીપ સિંહ નિજ્જર મૂળ ભારતનો નાગરિક હતો જેણે પાછળથી કેનેડાનું નાગરિકત્વ લીધું હતું. 18 જૂન, 2023ના રોજ, ગુરુદ્વારાની બહાર એક અજાણ્યા વ્યક્તિ દ્વારા તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તે કેનેડામાં ભારત વિરોધી ચળવળનો નેતા હતો અને પંજાબને ખાલિસ્તાન બનાવવાની ઝુંબેશનું નેતૃત્વ કરતો હતો.
હરદીપ એક ખતરનાક આતંકવાદી હતો જેની સામે હત્યા અને અન્ય ગુનાનો કેસ નોંધવામાં આવ્યો હતો. તેના મૃત્યુના ત્રણ મહિના પછી, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ તેમની સંસદમાં એવો આક્ષેપ કર્યો હતો કે નિજ્જરની હત્યામાં ભારત સરકારની ભૂમિકા હોવાના આરોપમાં તથ્ય છે ત્યારે નવો વિવાદ ફાટી નીકળ્યો હતો.

હરદીપ નિજ્જર કોણ હતો જેનું મોત ભારત અને કેનેડા વચ્ચે બન્યુ તણાવનું કારણ
હરદીપનો જન્મ પંજાબના જલંધરના ભારસિંહપુર ગામમાં થયો હતો. આજીવિકાની શોધમાં તે 1997માં કેનેડા ગયો હતો. તેણે પહેલા પ્લમ્બર તરીકે કામ કર્યું અને બાદમાં કેનેડાના પશ્ચિમી પ્રાંત બ્રિટિશ કોલંબિયામાં ધાર્મિક નેતા બની ગયો. તેના શીખ નેતા બનવાની પણ એક અલગ કહાની છે.
પ્લમ્બિંગના કામમાં બહુ પૈસા ન હોવાથી હરદીપ કોઈ એવું કામ શોધી રહ્યો હતો જેનાથી સારી આવક થઈ શકે. આ દરમિયાન વર્ષ 2000માં તેની મુલાકાત આતંકવાદી સંગઠન બબ્બર ખાલસાના ચીફ જગતાર સિંહ સાથે થઈ હતી. ત્યાં તેને ખબર પડી કે ભારત વિરોધી ગતિવિધિઓ માટે ઘણા પૈસા આવે છે અને પછી તે ખાલિસ્તાની ચળવળમાં જોડાયો. તેણે 2011માં ખાલસા ટાઈગર ફોર્સની સ્થાપના કરી હતી અને બાદમાં પ્રતિબંધિત શીખ સંગઠન શીખ ફોર જસ્ટિસમાં જોડાયો હતો.
તેણે ભારતમાં ખાલિસ્તાન ટાઈગર ફોર્સની પ્રવૃત્તિઓને વધારવા માટે સ્થાનિક છોકરાઓની ભરતી કરી અને ગેરકાયદેસર હથિયારોનો ઉપયોગ કરીને હિંસક પ્રવૃત્તિઓમાં સામેલ થયો. હરદીપ વિરુદ્ધ ભારતમાં પણ ઘણા કેસ દાખલ કરવામાં આવ્યા હતા. NAIએ તેની યાદીમાં તેને મોસ્ટ વૉન્ટેડ કેટેગરીમાં રાખ્યો હતો. પંજાબમાં ખાલિસ્તાન માટે પ્રચાર કરવા બદલ ભારતે તેને 2020માં આતંકવાદી જાહેર કર્યો હતો.
કેવી રીતે કરવામાં આવી હતી નિજ્જરની હત્યા
18 જૂન, 2023ની સાંજે, સરે શહેરના ગુરુ નાનક શીખ ગુરુદ્વારાના વ્યસ્ત પાર્કિંગમાં, હરદીપ સિંહ નિજ્જરને એક ટ્રકમાં બે માસ્ક પહેરેલા બંદૂકધારીઓએ ગોળી મારી દીધી હતી. હત્યાના મહિનાઓ પછી પણ કેનેડાની સરકાર આ મૃત્યુનો ભેદ ઉકેલી શકી નથી. વળી, સેન અને ટોરેન્ટોમાં ભારત સરકાર વિરુદ્ધ સતત વિરોધ પ્રદર્શનને રોકવા માટે પણ કોઈ પગલાં લઈ રહી નથી.
હવે 18 સપ્ટેમ્બરે વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ નિજ્જરના મૃત્યુ પાછળ ભારતનો હાથ હોવાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું કે કેનેડિયન ઇન્ટેલિજન્સે તેમના મૃત્યુ અને ભારતીય રાજ્ય એજન્ટો વચ્ચેના જોડાણના વિશ્વસનીય આરોપોની ઓળખ કરી છે. સ્વાભાવિક રીતે જ ભારત સરકારે આ અંગે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે અને હરદીપની હત્યામાં કોઈ સંડોવણી હોવાનો ઈન્કાર કર્યો છે.
ભારત સ્પષ્ટપણે કહે છે કે તે આતંકવાદી હતો અને આતંકવાદી અલગતાવાદી જૂથનું નેતૃત્વ કરતો હતો. કેનેડાએ આવા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ, જ્યારે કેનેડાની સરકાર ભારત વિરોધી ગતિવિધિઓ રોકવાને બદલે અલગતાવાદીઓ અને આતંકવાદીઓને આશ્રય આપી રહી છે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
