ગણેશ ચતુર્થી: જાણો, કઈ રીતે થયો હતો ગણપતિ બાપાનો જન્મ
બુદ્ધિ, જ્ઞાન અને વિઘ્નવિનાશકના રૂપમાં પૂજવામાં આવતા શ્રી ગણેશજીના સ્વાગત માટે આ સમયે એમના ભક્તગણ પૂરી રીતે તૈયાર છે
13મી સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી છે, જેના માટે દેશમાં જોરશોરથી તૈયારીઓ થઈ રહી છે. બુદ્ધિ, જ્ઞાન અને વિઘ્નવિનાશકના રૂપમાં પૂજવામાં આવતા શ્રી ગણેશજીના સ્વાગત માટે આ સમયે એમના ભક્તગણ પૂરી રીતે તૈયાર છે. ગણેશજીને બુદ્ધિમાન અને ઉર્જાવાન માનવામાં આવે છે અને આ કારણે જ એમની પૂજા કરનારા ભક્તોને પણ આ ગુણ હાસલ થતા હોય છે. ત્યારે અહીં જાણો કઈ રીતે થયો હતો ગણેશજીનો જન્મ...

શિવપુરાણમાં શ્રી ગણેશના જન્મની તૈયારી
શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કે મા પાર્વતીએ સ્નાન કરતા પહેલા પોતાના મેલથી એક બાળકને જન્મ આપ્યો હતો અને તેને પોતાનો દ્વારપાલ બનાવી દીધો હતો અને તેમને કહેવામાં આવ્યું હતું કે સ્નાન કરીને પરત ન આવી જાય ત્યાં સુધી કોઈને પણ અંદર પ્રવેશ ન કરવા દેવા. શિવજીએ જ્યારે પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો તો બાળકે એમને રોક્યા. જેના પર શિવગણોએ બાળક સાથે ભયંકર યુદ્ધ કર્યું પરંતુ સંગ્રામમાં એને કોઈ પરાજિત ન કરી શક્યું.

મા પાર્વતી નારાજ થયાં
ભગવાન શિવે ક્રોધમાં ત્રિશૂલથી બાળકનું માથું વાઢી નાખ્યું હતું. જેનાથી નારાજ થયેલા માતા પાર્વતીએ પ્રલય કરવાનો નિર્ણય કરી લીધો. ભયભીત દેવતાઓએ દેવર્ષિ નારદની સલાહ પર જગદમ્બાની સ્તુતિ કરી એમને શાંત કર્યાં.













Click it and Unblock the Notifications
