આ વાયદાથી પલટી જશે ભાજપ તો ક્યારેય માફ નહી કરે કાશી
વારાણસી, 14 મે: એક્ઝિટ પોલથી ઉત્સાહિત ભાજપમાં અંદરખાને કંઇક રંધાઇ રહ્યું છે. કાશીમાં ભાજપના ચૂંટણી મેનેજમેન્ટ સમિતિ પ્રમુખ અશોક ધવનનું કહેવું છે કે નરેન્દ્ર મોદીને લગભગ ચાર લાખ વોટના અંતરથી જીતી રહ્યાં છે.
ધવને આ 'પોલ'થી એ પણ ઇશારો મળ્યો છે કે જો કાશીથી નરેન્દ્ર મોદીને આશા કરતાં ઓછી સીટો મળે છે તો તેમનો વસવાટ વડોદરા જ રહેશે. ભાજપની મેનેજમેન્ટ સમિતિનું માનીએ તો નરેન્દ્ર મોદી અહીં 6.50 લાખ વોટ પ્રાપ્ત કરવામાં સફળ રહેશે, જેમાં લગભગ 4 લાખ વોટના માર્જિનથી તેમના વિરોધી પાછળ રહેશે.
જો કે હજુ સુધી નજર પરિણામો પર ટકેલી છે, જે ટૂંક સમય તમારી-તમારી સમક્ષ હશે. ધવને મોદીનીની સંભવિત જીતને વોટ ટકાવારી પ્રમાણે રાખીને આંકલન કર્યું છે.

પાર્ટીની ચૂંટણી મેનેજમેન્ટ ટીમે કાશીમાં વોટિંગ પહેલાં જ બૂથ પર જઇને સેંપલ લેવાનું શરૂ કરી દિધું હતું. તેની સાથે ઘણી રીતે આંકડા જોડીને પરિણામનો અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપની 'છતરી' સંઘના આંકડામાં પાર્ટીને આશા તથા એક્ઝિટ પોલના પરિણામોથી ઘણી ઓછી સીટો આપવામાં આવી છે.
નરેન્દ્ર મોદી કાશીની સીટ ના છોડવાની સોગંધ રાજનાથ સિંહ ખાઇ ચૂક્યાં છે, એવામાં ફેંસલો બદલાઇ શકે છે તો વોટર નારાજ થઇ શકે છે તથા પાર્ટીની અંદરની રાયમાં અંતર આવી શકે છે.












Click it and Unblock the Notifications
