સૌથી પહેલા કોણે કરી હતી ભારતના વિભાજનની વાત? જાણો કેવી રીતે બન્યુ પાકિસ્તાન?
ભારત આજે તેનો 78 મોં સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. ભારતને આઝાદી મળી તેની સાથે સાથે વિભાજનનું ક્યારેય ન ભુલાય એવુ દર્દ પણ મળ્યુ છે. આ દર્દ આપનારા લોકોમાં સાવરકર જેવા લોકોના નામ પણ આવે છે.
અખંડ ભારતની આઝાદી માટે ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓ લડ્યા હતા. એ જ લડવૈયાઓ ઈચ્છતા હતા કે દેશ એક થઈને આઝાદ થાય આ થઈ શક્યું નહીં. કેટલાક લોકોને કારણે ભારતના ભાગલા થઈ ગયા.

ભારતના ભાગલા માટેની વાત સૌથી પહેલા કોણે કરી તેને લઈને ઘણા વિવાદ છે. એક દાવો એવો પણ કરવામાં આવે છે કે 1940 પહેલા અંગ્રેજો પાસે માફી માંગનારા સાવરકરે દેશને તોડવાની સૌથી પહેલા વાત કરી હતી. આ પછી મુસ્લિમ લીગે 1940 ના અધિવેશનમાં આ ઠરાવ પસાર કર્યો.
સાવરકર સિવાય ભારતને તોડવાની ઈચ્છા રાખનારા સૌથી આગળના વ્યક્તિ તરીકે મોહમ્મદ અલી ઝીણાનું નામ આવે છે. ભારતને તોડવા માટે મોટાભાગના લોકો સાવરકર અને ઝીણાને જવાબદાર માને છે.
ઝીણાએ અખંડ ભારતના મુસ્લિમો માટે અલગ દેશની માંગ કરીને દેશના વિભાજનની શરૂઆત કરી હતી. અલગ દેશની રચનાની માંગનો સ્પષ્ટ અર્થ હતો કે દેશના વિભાજન અને તે જ સમયે લોહિયાળ સંઘર્ષને જન્મ આપશે. ઝીણાની માંગ પહેલા કોઈએ વિચાર્યું ન હતું કે ભારતને આઝાદી મળશે પરંતુ દેશને તેની ભારે કિંમત ચૂકવવી પડશે.
દેશના ભાગલાનો વિચાર બ્રિટિશ સરકારની રચના હતી. 1857ના વિદ્રોહમાં હિંદુ-મુસ્લિમ એકતાએ બ્રિટિશ સરકારને વિચારવા મજબૂર કરી દીધી હતી કે જો અખંડ ભારતના લોકો તેમની સામે આ રીતે બળવો કરતા રહેશે તો ભારત પરનું તેમનું શાસન નબળું પડી જશે. બ્રિટિશ સરકારની ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અહીંથી શરૂ થઈ હતી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) ની સ્થાપના 1857 ના બળવા પછી કરવામાં આવી હતી.
આ પછી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે માંગ કરી કે દેશના તમામ શિક્ષિત ભારતીયોને સરકારમાં મહત્તમ ભાગીદારી આપવી જોઈએ. અહીં અંગ્રેજોને સમજાયું કે કોંગ્રેસની પ્રવૃત્તિઓ બ્રિટિશ સરકાર માટે ખતરો છે. આ પછી કોંગ્રેસને રોકવાના પ્રયાસ થયા પરંંતુ ન રોકાતા અગ્રેજોએ તેના કેટલાક સૌથી વફાદાર લોકોની મદદ લીધી. તેમાંથી એક સૈયદ અહેમદ ખાન હતા, જેમણે ટુ નેશન થિયરી બનાવી અને દેશના ટુકડા થયા.
-
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન












Click it and Unblock the Notifications
