For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Indian Constitution : જાણો ભારતના બંધારણ સાથે કરવામાં આવેલી સૌથી ચર્ચિત છેડછાડ વિશે

Indian Constitution : 26 નવેમ્બર, 1949ના રોજ ભારત સંવિધાન અપનાવ્યું હતું, જે બાદ 26 જાન્યુઆરી, 1950ના રોજ તેને લાગુ કરવામાં આવ્યું હતું. બંધારણમાં સરકારના સંસદીય સ્વરૂપે વ્યવસ્થા કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

Indian Constitution : 26 નવેમ્બર, 1949ના રોજ ભારત સંવિધાન અપનાવ્યું હતું, જે બાદ 26 જાન્યુઆરી, 1950ના રોજ તેને લાગુ કરવામાં આવ્યું હતું. બંધારણમાં સરકારના સંસદીય સ્વરૂપે વ્યવસ્થા કરવામાં આવી છે. ભારતનું સંવિધાન દુનિયાનું સૌથી મોટુ લેખિત બંધારણ છે, જેમાં કેન્દ્રીય કાર્યપાલિકા, ન્યાયપાલિકા અને ધારાસભાની ફરજો અને તેમના કાર્યક્ષેત્ર બાબતે જણાવવામાં આવ્યું છે. જોકે, ભારતીય સંવિધાન સાથે ગત 72 વર્ષમાં ઘણી વાર છેડછાડ કરવામાં આવી છે.

Indian Constitution

કલમ 370

ભારતીય બંધારણની કલમ 370 એ બંધારણની સૌથી મોટી છટકબારી તરીકે ઓળખાય છે. જમ્મુ અને કાશ્મીરના સંદર્ભમાં આ કલમ 17 ઓકટોબર, 1949ના રોજ લાવવામાં આવી હતી. નોંધપાત્ર વાત એ છે કે, સરદાર વલ્લભભાઈ પટેલ ક્યારેય તેની તરફેણમાં ન હતા, તેથી તેમણે તેને બિનઅસરકારક બનાવવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા હતા, પરંતુ જવાહરલાલ નેહરુ અને શેખ અબ્દુલ્લાને કારણે તેઓ તેમ કરી શક્યા નહીં.

આ અનુચ્છેદનો સીધો અર્થ એ હતો કે, દેશની સંસદ દ્વારા પસાર કરવામાં આવેલ કોઈપણ ખરડાને પસાર થતા પહેલા જમ્મુ અને કાશ્મીર રાજ્યની વિધાનસભા દ્વારા મંજૂર કરાવવું પડશે. આ લેખે ભારતીય સંસદને ઇન્સ્ટ્રુમેન્ટ ઑફ એક્સેશનમાં ઉલ્લેખિત ત્રણ વિષયો સુધી મર્યાદિત કરી છે - સંરક્ષણ, વિદેશી બાબતો અને સંદેશાવ્યવહાર.

અનુચ્છેદ 370 કોઈ બંધારણીય કારણસર ન હતું, પરંતુ તેની પાછળ શેખ અબ્દુલ્લાનો ઈરાદો કંઈક અલગ હતો. જેની આડમાં તેઓ જમ્મુ અને કાશ્મીરમાં અલગતાવાદ વધારવા માંગતા હતા, જે બાદના વર્ષોમાં પણ જોવા મળ્યું હતું.

આ કલમની સાથે, 14 મે 1954ના રોજ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની સૂચના પર ભારતના રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કલમ 35Aનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. નોંધપાત્ર રીતે, ભારતીય બંધારણનો એક ભાગ હોવા છતાં, 35Aનો ઉપયોગ આ બંધારણની કલમ 14, 15, 16, 19, 21 માં આપવામાં આવેલા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરતું હતું. આથી તેને વિવાદાસ્પદ અને ભેદભાવપૂર્ણ કલમ તરીકે જોવામાં આવ્યું હતું.

જોકે વર્ષ 1964માં કલમ 370 નાબૂદ કરવાની ઘણી દરખાસ્તો આવી હતી, પરંતુ તે પછી તેને નાબૂદ કરી શકાયું ન હતું. તત્કાલિન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી પણ તેને નાબૂદ કરવા તૈયાર હતા, પરંતુ જમ્મુ અને કાશ્મીર રાજ્યની પછાતતાને ટાંકીને કલમ 370 હટાવવાનો પ્રસ્તાવ ગૃહમાં મતદાન દ્વારા મોકૂફ રાખવામાં આવ્યો હતો.

આખરે વર્ષ 2019 માં કેન્દ્રની મોદી સરકારે આ કલમને નાબૂદ કરી હતી, જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યો હતો. આ સિવાય લદ્દાખને જમ્મુ-કાશ્મીરથી અલગ કરીને નવો કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો હતો.

કટોકટી - 38મો, 39મો અને 42મો સુધારો

કલમ 370 બાદ, કટોકટી દરમિયાન ભારતીય બંધારણ સાથે છેડછાડ કરવામાં આવી હતી. 1975 માં તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ કટોકટી જાહેર કરી હતી, જે આજે પણ ભારતીય બંધારણના કાળા અધ્યાય તરીકે ઓળખાય છે.

ઈન્દિરા ગાંધીએ કટોકટી લાદવાની સાથે બંધારણમાં 38મો, 39મો અને 42મો સુધારો કરીને બંધારણના મૂલ્યોનું ઉલ્લંઘન કર્યું હતું. ઈન્દિરા ગાંધીએ ઈમરજન્સી દરમિયાન 1975માં 38મા સુધારા દ્વારા ન્યાયતંત્ર પાસેથી ઈમરજન્સીની ન્યાયિક સમીક્ષાનો અધિકાર છીનવી લીધો હતો. આવા સમયે 39મા સુધારામાં વડાપ્રધાન પદ પર નિયુક્ત વ્યક્તિની ચૂંટણીની તપાસ કરવાનો કોર્ટનો અધિકાર છીનવી લેવામાં આવ્યો હતો.

આ સિવાય ઈન્દિરા ગાંધી દ્વારા કરવામાં આવેલા 42માં સુધારામાં બંધારણની પ્રસ્તાવનામાં ત્રણ નવા શબ્દો સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને અખંડિતતા ઉમેરવામાં આવ્યા હતા. આ સુધારામાં મૂળભૂત અધિકારો પર નિર્દેશક સિદ્ધાંતોની પ્રાધાન્યતા, લોકસભાની મુદ્દત 5થી વધારીને 6 વર્ષ કરવી, તમામ બંધારણીય સુધારાઓને ન્યાયિક ચકાસણીની બહાર રાખવા અને રાષ્ટ્રપતિ માટે મંત્રી પરિષદની સલાહ સ્વીકારવી ફરજિયાત બનાવવી. કટોકટી દરમિયાન કરવામાં આવેલ બંધારણમાં આ વ્યાપક સુધારો દર્શાવે છે કે, તે માત્ર રાજકીય લાભ માટે કરવામાં આવ્યો હતો.

શાહ બાનુ કેસ

1970ના દાયકામાં ઈન્દોરના જાણીતા વકીલ મોહમ્મદ અહેમદ ખાને તેની પત્ની શાહ બાનુને પાંચ બાળકો સાથે ઘરની બહાર કાઢી મૂક્યા અને એક સગીર છોકરી સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 1978માં શાહ બાનુ 59 વર્ષીય મહિલા જે 43 વર્ષથી તેમની સાથે હતી, અહેમદ ખાને તેમને ટ્રીપલ તલાક (તલાક-એ-બિદ્દત) આપીને બેઘર કરી દીધા હતા. અહમદ ખાન બાળકોના ભરણપોષણ માટે ક્યારેક-ક્યારેક શાહ બાનુંને પૈસા આપતા હતા.

અહમદ ખાને મુસ્લિમ પર્સનલ લો મુજબ શાહ બાનુને તલાક-એ-બિદ્દત આપી હતી, જેમાં ત્રણ મહિનાની ઇદ્દતની જોગવાઈ છે, જેમાં તલાકનો પતિ મહિલાના ભરણપોષણ માટે જવાબદાર છે. જો આ સમયગાળા દરમિયાન સ્ત્રી ગર્ભવતી થાય છે, તો ઇદ્દતનો સમયગાળો બાળકના જન્મ સુધી ચાલે છે. વાસ્તવમાં આ એક રાહ જોવાનો સમયગાળો છે, જેમાં સ્ત્રી ઈચ્છે, તો ફરીથી લગ્ન કરી શકે છે.

શાહ બાનુએ તેના પતિ દ્વારા ઘરવિહોણા કર્યા બાદ, કોર્ટનો સંપર્ક કર્યો હતો, જેણે તેની તરફેણમાં ચુકાદો આપ્યો અને અહેમદ ખાનને શાહ બાનુને ભરણપોષણ ચૂકવવા જણાવ્યું હતું. હાઈકોર્ટમાં નિર્ણય આવ્યા બાદ અહેમદ ખાને તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. 23 એપ્રિલ, 1985ના રોજ, મુખ્ય ન્યાયાધીશ વાયવી ચંદ્રચુડની આગેવાની હેઠળની સર્વોચ્ચ અદાલતની 5 જજની બંધારણીય બેચે ચુકાદો આપ્યો હતો કે, મોહમ્મદ અહેમદ ખાન છૂટાછેડાના બદલામાં શાહ બાનુને 179.20 રૂપિયા પ્રતિ માસ ચુકવશે.

સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં સરકારને સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની સલાહ પણ આપી હતી. બંધારણની કલમ 44 એ પણ જણાવે છે કે, રાજ્ય ભવિષ્યમાં સમાન નાગરિક સંહિતા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે. શાહ બાનુ કેસમાં ચુકાદો આવ્યા બાદ મુસ્લિમ પર્સનલ લો બોર્ડ સ્તબ્ધ થઈ ગયું હતું અને કટ્ટરવાદીઓએ સુપ્રીમ કોર્ટના નિર્ણયનો જોરદાર વિરોધ કર્યો હતો.

મુસ્લિમ લીગના જનરલ સેક્રેટરી, જીએમ બનાતવાલાએ 15 માર્ચ, 1985ના રોજ શાહ બાનુ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આપેલા ચુકાદાની વિરુદ્ધ એક ખાનગી બિલ લાવ્યા હતા, જેથી સંસદમાં તેની ચર્ચા થઈ શકે. ઓગસ્ટ 1985માં તત્કાલિન ગૃહ પ્રધાન આરિફ મોહમ્મદ ખાને વડા પ્રધાન રાજીવ ગાંધીને મળ્યા અને તેમને બનતવાલાના ખાનગી બિલ પર બોલવા વિનંતી કરી હતી. આરિફ મોહમ્મદ ખાનના ભાષણ પછી, રાજીવ ગાંધી સરકારે મુસ્લિમોને તેનાથી દૂર રાખવા માટે કલમ 125માં સુધારો કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી મુસ્લિમ મહિલા (તલાકમાં સંરક્ષણનો અધિકાર) અધિનિયમ 1986 પસાર કરવામાં આવ્યો. આ પછી આરિફ મોહમ્મદ ખાને કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું.

આ બિલનો વિરોધ કરતાં સીપીઆઈ સાંસદ સૈફુદ્દીન ચૌધરીએ જણાવ્યું હતું કે, આ એક કાળું બિલ છે અને તેઓ યુનિફોર્મ સિવિલ કોડનું સમર્થન કરે છે. આ નવા કાયદાને કારણે શાહ બાનુ કોર્ટમાં લડાઈ જીત્યા બાદ પણ હારી ગઈ અને 1992માં બ્રેઈન હેમરેજને કારણે તેનું મૃત્યુ થઈ ગયું હતું. શાહ બાનુ કેસના 3 દાયકા બાદ પણ દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ થઈ શકી નથી. જોકે, કેન્દ્ર સરકારે 2019માં ટ્રીપલ તલાકને નાબૂદ કરી દીધી છે, જે શાહ બાનુ જેવી ઘણી છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલાઓને રાહત આપશે.

1984ના શીખ રમખાણો

1984માં તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા બાદ ઉશ્કેરાયેલા કોંગ્રેસના નેતાઓએ દિલ્હી, કાનપુર સહિત દેશના અનેક શહેરોમાં શીખ વિરોધી રમખાણો આયોજિત કર્યા હતા. સરકારી આંકડાઓ અનુસાર, આ હિંસાને કારણે દેશભરમાં લગભગ 3,350 શીખો માર્યા ગયા, જેમાંથી 2,800 શીખ રાજધાની દિલ્હીમાં માર્યા ગયા હતા. આ ઘટનાના 34 વર્ષ બાદ 17 ડિસેમ્બર, 2018ના રોજ, દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસના નેતા સજ્જન કુમારને મુખ્ય આરોપી તરીકે નામ આપીને આજીવન કેદની સજા ફટકારી હતી. આવા સમયે રમખાણો ભડકાવવામાં શામેલ અન્ય આરોપીઓને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

તોફાનોમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા મતદાર યાદીનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. શીખ ધર્મના લોકોના ઘરોને ચિહ્નિત કરવા માટે કોંગ્રેસના નેતાઓ દ્વારા મતદાર યાદીઓ, શાળા નોંધણી ફોર્મ અને રેશન કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ રમખાણને આયોજનબદ્ધ રીતે અંજામ આપવામાં આવ્યો હતો. રમખાણોની તપાસ માટે દસ કમિશન અથવા સમિતિઓની રચના કરવામાં આવી હતી, પરંતુ રાજીવ ગાંધી સરકારના ગૃહ મંત્રાલયે તપાસ આગળ વધવા દીધી ન હતી. આમાં કાયદો રોકી દેવામાં આવ્યો હતો. એટલું જ નહીં, બંધારણમાં કારોબારીને આપવામાં આવેલી સત્તાઓનો ખુલ્લેઆમ ઉલાળિયો કરવામાં આવ્યો હતો. રમખાણોને ભડકાવનારા લોકો આ બાદ વર્ષો સુધી મુક્તપણે ફરતા હતા, સજ્જન કુમાર, જગદીશ ટાઇટલર જેવા કોંગ્રેસના નેતાઓ પણ ચૂંટણી લડ્યા અને સંસદના સભ્ય બન્યા હતા.

English summary
Indian Constitution : Know about the most talked about tampering with the Indian Constitution
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X