ક્યારે છે કરવાચોથ? જાણો પૂજાનો સમય, મુહૂર્ત અને વિધિ
ક્યારે છે કરવાચોથ? જાણો પૂજાનો સમય, મુહૂર્ત અને વિધિ
પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ અને ત્યાગનો પર્વ કરવા ચૌથ 27મી ઓક્ટોબર 2018ને શનિવારે છે. આખો દિવસ ભૂખી અને તરસી રહી પત્નીઓ પતિની લાંબી ઉંમરની કામના કરે છે. આ પરંપરાગત તહેવારને મીડિયાએ પણ બારે ગ્લેમરાઈઝ્ડ કરી દીધો છે જે કારણે જ ખુદને આધુનિક ગણાવતા લોકો માટે પણ કરવા ચૌથ લોકપ્રિય છે. આ વખતે કરવા ચોથના દિવસે સંકષ્ટી ગણેશ ચતુર્થી પણ છે, આ પ્રકારે આ પર્વ વધુ શુભ થઈ ગયો છે.

કરવા ચોથનું શુભ મુહૂર્ત
પૂજાનું મુહર્ત સાંજે 5.40થી 6.47 વાગ્યા સુધી છે. જો સમયના હિસાબે જોઈએ તો તેની કુલ અવધિ 1 કલાક 7 મિનિટ સુધી છે. ચંદ્રોદય રાત્રે 7 વાગીને 55 મિનિટ પર થશે. ત્યારે જ વ્રત ખોલવું.

વ્રત પર ફેશનનો પ્રભાવ
ભલેને એક પારંપરિક પૂજા હોય પણ આ વ્રતે ફેશનનું રૂપ ધારણ કરી લીધું છે. સ્ત્રિઓ આ દિવસે ભૂખી-તરસી રહીને તૈયાર થતી હોય છે અને ગણેશજી તથા કરવા ચોથની પૂજા કર્યા બાદ ચંદ્રમાને અર્ધ્ય આપે છે.

સૌકોઈની આ ચાહ હોય છે
બજારમાં જુઓ તો તમે અંદાજો લગાવી શકશો કે અન્યોથી અલગ દેખાવવાની ચાહતમાં મહિલાઓ સાડી, મહેંદી, ચૂડીઓની દુકાન પર જોવા મળશે, સૌકોઈની એજ ચાહત હોય છે કે તેઓ આ દિવસે બહુ સુંદર દેખાય.












Click it and Unblock the Notifications
