સંસદ સાથે જોડાયેલા 10 જાણવા જેવા રહસ્યમય તથ્યો...
નવી દિલ્હી: ભારતની સંસદ હંમેશા શોર-બકોર અને રાજનૈતિક ઉથલપાથલ માટે ચર્ચામાં રહી છે. પરંતુ જે સંસદ ભવન કેટલીયે ઐતિહાસિક પ્રસંગોને પોતાની અંદર સંગ્રહિત કરીને બેઠું છે તેની પોતાની વાર્તા પણ રહસ્યથી ભરેલી છે. આપના માટે એ જાણવું ખૂબ જ જરૂરી રહેશે કે ભારતીય સંસદની ઇમારતને દુનિયાની શાનદાર આર્કિટેક્ટ માળખાના રૂપમાં ઓળખવામાં આવે છે.
સંસદ ભવનના નિર્માણથી લઇને ઘણી એવી વાતો છે જેને લગભગ ઘણા લોકો જાણતા હશે. સંસદ ભવનના જે સેંટ્રલ હોલથી ઘણા મોટા મોટા નેતાઓએ પોતાના ઐતિહાસિક ભાષણો આપ્યા છે પછી ભલેને તે નેહરૂજી હોય કે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય.. તેની પણ વાર્તા ખૂબ જ રહસ્યમય છે.
સંસદની સંરચના
સંસદ ભવનની ઇમારતની સંરચનાને સર એડવિન લુટિયંસ અને સર હર્બર્ટ બેકરે બનાવી હતી.
83 લાખમાં બન્યું હતું સંસદ ભવન
સંસદ ભવનના પાયાની પહેલી ઇંટ 12 ફેબ્રુઆરી 1921માં રાખવામાં આવી હતી, તેના નિર્માણમાં 6 વર્ષ અને 83 લાખ રૂપિયાનો ખર્ચ આવ્યો હતો.
સૌથી સસ્તી કેન્ટીન
સંસદની કેન્ટીનમાં માત્ર 12 રૂપિયામાં ભોજન મળે છે.
સેંટ્રલ હોલની મહત્વતા
14-15 ઓગસ્ટ 1947 પહેલા આ જ હોલથી યૂકેથી ભારતમાં સત્તાનું હસ્તાંતરણ થતું હતું.
સંસદની લાયબ્રેરી પણ છે ખાસ
સંસદની લાયબ્રેરી દેશની બીજી સૌથી મોટી લાયબ્રેરી છે, પહેલી નેશનલ લાયબ્રેરી કોલકાતામાં છે.
સેંટ્રલ હોલમાં હતી દેશની સુપ્રીમ કોર્ટ
હા, આઝાદી બાદ નવી સુપ્રીમ કોર્ટની બિલ્ડિંગ બનવા સુધી સેંટ્રલ હોલમાં જ દેશના સુપ્રીમ કોર્ટની કાર્યવાહી ચાલતી હતી.
હાથથી લખાયેલ સંવિધાન સુરક્ષિત છે અત્રે
સંસદની લાયબ્રેરીમાં ભારતના સંવિધાનની હિન્દી અને અંગ્રેજીમાં હાથથી લખેલી પ્રતિલિપિ અત્રે નાઇટ્રોઝન ગેસથી ભરેલ ચેમ્બરમાં સુરક્ષિત રાખવામાં આવેલ છે.
સંસદી ભવનની સંરચના ગોળાકાર શા માટે? e-
સંસદની ગોળાકાર સંરચના નિરંતરનું પ્રતીક છે, આ સંરચના એ દર્શાવે છે તે સત્તા બની રહેશે અને ક્યારેય પણ ખતમ નહી થાય.
સંસદના પહેલા માળે છે 144 થાંભલા
હા, સંસદના પહેલા ફ્લોર પર 144 પિલર્સ છે, જે જોવામાં ખૂબ જ આકર્ષિત કરે છે.
ઘોડાના પગની સંરતના પર બન્યા છે બંને ગૃહ
હા લોકસભા અને રાજ્યસભા હોલનો આકાર ઘોડાના પગના આકારની છે.