આ મંદિરમાં ભગવાનને ચડે છે સિગારેટ સાથે દારૂ, સદીઓથી ચાલી રહી છે પરંપરા
ભારતમાં વિવિધ પ્રકારના મંદિરો આવેલા છે. આ મંદિરોમાં અલગ-અલગ પ્રકારના ચડાવા ચડે છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં એક મંદિર એવુ છે જ્યાં સિગારેટ અને દારૂનો ચડાવો ચડે છે.
મેરઠના કાંકરખેડામાં એક અનોખી પરંપરા જોવા મળે છે. અહીં મંદિરમાં શ્રી ધન્ના બાબાની અગરબત્તી અને સિગારેટથી આરતી થાય છે. અહીં પ્રસાદમાં ગોળ અને ચણાની સાથે દારૂ પણ ચઢાવવામાં આવે છે.

તમને વિચિત્ર લાગશે પરંતુ આ મંદિરમાં સેંકડો વર્ષોથી આ માન્યતા ચાલી રહી છે. ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
મંદિરના પૂજારી રાજેશ જણાવે છે કે, આ મંદિર 500 વર્ષથી વધુ જૂનું છે. આ મંદિર જ્યાં બનેલ છે ત્યાં શ્રી ધન્ના બાબા એક સમયે રહેતા હતા. જે કાલી માતાના મહાન ઉપાસક હતા.
દંતકથા અનુસાર, એક દિવસ જ્યારે તે કાલી માતાની પૂજા કરી રહ્યા હતા ત્યારે તેણે કાલી માતાને રૂદ્રના રૂપમાં જોયા. પછી તેણે મા કાલીને પૂછ્યું કે તે ક્યાં જઈ રહી છે. કાલી માતાએ કહ્યું હતું કે તે રાક્ષસોનો સંહાર કરવા જઈ રહી છે. આ પછી બાબાએ તેને કહ્યું કે નરસંહાર કરવાને બદલે માતા તેની બલિ લઈ લે.
આ પછી કાલી માતાએ કહ્યું કે, તે 2 દિવસ પછી તેની પાસે આવશે. જ્યારે કાલી માતા બે દિવસ પછી બલિદાન લેવા આવ્યા ત્યારે તેમણે શ્રી ધન્ના બાબાને તેમની ભક્તિમાં લીન થયેલા જોયા. આ પછી કાલી માતાએ તેમની પાસેથી વચન લીધું હતું કે તે આ સ્થાન પર સમાધિ લેશે.
ત્યારબાદ બાબાએ આ સ્થાન પર સમાધિ લીધી. ત્યારથી આજ સુધી શ્રી બાબા ધન્નાની સમાધિમાં પૂજા કરવામાં આવે છે. ગિહરા સમુદાયના લોકો શ્રી ધન્ના બાબાને તેમના પૂર્વજો તરીકે પૂજે છે.
મંદિરના પૂજારી રાજેશે જણાવે છે કે, શ્રી ધન્ના બાબાએ કાલી માતાના રૂબરૂ દર્શન કર્યા હતા. આ પછી તેણે વરદાન આપ્યું. જે પૂજા કરશે તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થશે. આ સ્થિતિમાં બાબાએ આ સ્થાન પર સમાધિ લીધી.
અત્યાર સુધી દેશભરમાંથી લોકો અહીં આવે છે. તેણે જણાવ્યું કે બાબાને દારૂ અને સિગારેટ પસંદ હતી. એટલા માટે ભક્તો બાબાને આ પ્રકારનો પ્રસાદ ચઢાવે છે. જો કે તેઓ કહે છે કે તેમનો મૂળ પ્રસાદ ગોળ અને ચણા છે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?








Click it and Unblock the Notifications
