Loksabha Election : ભારતમાં કોણ કોણ લોકસભા ચૂંટણી લડી શકે? જાણો શું કહે છે સંવિધાન?
લોકશાહીમાં ચૂંટણી એ સૌથી મોટો તહેવાર હોય છે. લોકશાહી યોગ્ય રીતે કામ કરે તે માટે ચૂંટણીને લઈને સંવિધાનમાં કેટલાક ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે.
આપણા દેશમાં કોણ ચૂંટણી લડી શકે છે અને કોણ નહીં એ સવાલના જવાબો આજે અમે તમને આપવાના છીએ.

ભારતમાં કોણ ચૂંટણી લડી શકે?
ભારતીય બંધારણના અનુચ્છેદ 84-A મુજબ સંસદના સભ્ય બનવા માટે કોણ લાયક છે તેની માહિતી આપવામાં આવે છે. આ મુજબ જે વ્યક્તિ ભારતનો નાગરિક નથી તેને ચૂંટણી લડવાનો અધિકાર નથી.
લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ લડવા માટે ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ અને તેની ઉંમર ઓછામાં ઓછી 25 વર્ષની હોવી જોઈએ. ચૂંટણી લડવા માટે ઉમેદવારોની લઘુત્તમ વય 25 વર્ષ નક્કી કરવામાં આવી છે. તેનાથી નાની ઉંમરની વ્યક્તિ ચૂંટણી લડી શકે નહીં.
જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 4(ડી) મુજબ, જે વ્યક્તિનું નામ સંસદીય મતદારક્ષેત્રની મતદાર યાદીમાં નથી તે ચૂંટણીમાં ઊભા રહી શકે નહીં. આ સિવાય કોઈ પણ કેસમાં બે વર્ષ કે તેથી વધુ સજા થઈ હોય તેવી વ્યક્તિ ચૂંટણી લડી શકે નહીં.












Click it and Unblock the Notifications
