Maha kumbh 2025 : કડકડતી ઠંડીમાં પણ નાગા સાધુઓ કુંભમાં કેવી રીતે કપડા વગર ફરે છે? શું છે શરીરની ગરમીનું રાઝ?
Maha kumbh 2025 : પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવનારૂ છે. આ મેળામાં ભારતભરમાંથી લોકો સાથે સાથે લાખોની સંખ્યામાં નાગા સાધુઓ પહોંચશે.
નાગા સાધુઓ તેમનામાં એક રહસ્ય છે. નાગાઓની દુનિયા વિશે સામાન્ય લોકો બહુ ઓછુ જાણે છે. શરીર પર એક પણ કપડું ન પહેરનારા નાગા સાધુઓ શિયાળાની કડકડતી ઠંડીમાં પણ ખુલ્લા ફરે છે.

માન્યતા છે કે મહાકુંભની શરૂઆત નાગા સાધુઓના શાહી સ્નાનથી થાય છે. બધા અખાડાના નાગા સાધુઓ ઢોલ-નગારા સાથે ભેગા થાય છે અને સંગમ કિનારે ડૂબકી લગાવે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે કડકડતી ઠંડીમાં પણ નાગા સાધુઓ નગ્ન રહીને ધ્યાન કરે છે. તેમને ઠંડી નથી લાગત. આ પાછળનું વિજ્ઞાન જાણવા જેવુ છે.
કઠોર ધ્યાન દ્વારા મન પર નિયંત્રણ
કહેવાય છે કે સખત મહેનત અને તપસ્યા દ્વારા કંઈપણ પ્રાપ્ત કરી શકાય છે. સાધના દ્વારા મન પર નિયંત્રણ મેળવી શકાય છે. આ શારીરિક સુખ અને દુઃખ સહન કરવા માટે તૈયાર કરે છે. નાગા સાધુઓ નિયમિતપણે આ તપસ્યા અને ધ્યાનનો અભ્યાસ કરે છે અને તેમના મન અને શરીર પર નિયંત્રણ મેળવે છે. આ કારણે તેમને વધુ ઠંડી અને ગરમીનો અનુભવ થતો નથી.
નિયમિત યોગ
યોગ એ કોઈપણ તપસ્વીના જીવનનો એક અભિન્ન ભાગ છે. યોગ દ્વારા તે પોતાના શરીરની ઉર્જા વધારે છે અને પરિસ્થિતિ અનુસાર પોતાના શરીરને અનુકૂળ બનાવે છે. નાગા સાધુઓ પણ નિયમિત યોગાભ્યાસ દ્વારા આ કરી શકે છે.
શરીર પર રાખ
નાગા સાધુઓ શરીર પર રાખ લગાવે છે. રાખને પવિત્ર માનવામાં આવે છે. કહેવાય છે કે રાખ એ અંતિમ સત્ય છે અને શરીર એક દિવસ રાખમાં ફેરવાઈ જશે. નાગા સાધુઓનું માનવું છે કે રાખ તેમને નકારાત્મક ઉર્જાથી બચાવે છે.
વિજ્ઞાન પણ માને છે કે શરીર પર રાખ લગાવવાથી શરદી થતી નથી. વ્યક્તિને ઠંડી અને ગરમીનો અનુભવ પણ થતો નથી. આ ઇન્સ્યુલેટર તરીકે કામ કરે છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
