Maha kumbh 2025 : કડકડતી ઠંડીમાં પણ નાગા સાધુઓ કુંભમાં કેવી રીતે કપડા વગર ફરે છે? શું છે શરીરની ગરમીનું રાઝ?
Maha kumbh 2025 : પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવનારૂ છે. આ મેળામાં ભારતભરમાંથી લોકો સાથે સાથે લાખોની સંખ્યામાં નાગા સાધુઓ પહોંચશે.
નાગા સાધુઓ તેમનામાં એક રહસ્ય છે. નાગાઓની દુનિયા વિશે સામાન્ય લોકો બહુ ઓછુ જાણે છે. શરીર પર એક પણ કપડું ન પહેરનારા નાગા સાધુઓ શિયાળાની કડકડતી ઠંડીમાં પણ ખુલ્લા ફરે છે.

માન્યતા છે કે મહાકુંભની શરૂઆત નાગા સાધુઓના શાહી સ્નાનથી થાય છે. બધા અખાડાના નાગા સાધુઓ ઢોલ-નગારા સાથે ભેગા થાય છે અને સંગમ કિનારે ડૂબકી લગાવે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે કડકડતી ઠંડીમાં પણ નાગા સાધુઓ નગ્ન રહીને ધ્યાન કરે છે. તેમને ઠંડી નથી લાગત. આ પાછળનું વિજ્ઞાન જાણવા જેવુ છે.
કઠોર ધ્યાન દ્વારા મન પર નિયંત્રણ
કહેવાય છે કે સખત મહેનત અને તપસ્યા દ્વારા કંઈપણ પ્રાપ્ત કરી શકાય છે. સાધના દ્વારા મન પર નિયંત્રણ મેળવી શકાય છે. આ શારીરિક સુખ અને દુઃખ સહન કરવા માટે તૈયાર કરે છે. નાગા સાધુઓ નિયમિતપણે આ તપસ્યા અને ધ્યાનનો અભ્યાસ કરે છે અને તેમના મન અને શરીર પર નિયંત્રણ મેળવે છે. આ કારણે તેમને વધુ ઠંડી અને ગરમીનો અનુભવ થતો નથી.
નિયમિત યોગ
યોગ એ કોઈપણ તપસ્વીના જીવનનો એક અભિન્ન ભાગ છે. યોગ દ્વારા તે પોતાના શરીરની ઉર્જા વધારે છે અને પરિસ્થિતિ અનુસાર પોતાના શરીરને અનુકૂળ બનાવે છે. નાગા સાધુઓ પણ નિયમિત યોગાભ્યાસ દ્વારા આ કરી શકે છે.
શરીર પર રાખ
નાગા સાધુઓ શરીર પર રાખ લગાવે છે. રાખને પવિત્ર માનવામાં આવે છે. કહેવાય છે કે રાખ એ અંતિમ સત્ય છે અને શરીર એક દિવસ રાખમાં ફેરવાઈ જશે. નાગા સાધુઓનું માનવું છે કે રાખ તેમને નકારાત્મક ઉર્જાથી બચાવે છે.
વિજ્ઞાન પણ માને છે કે શરીર પર રાખ લગાવવાથી શરદી થતી નથી. વ્યક્તિને ઠંડી અને ગરમીનો અનુભવ પણ થતો નથી. આ ઇન્સ્યુલેટર તરીકે કામ કરે છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા










Click it and Unblock the Notifications
