Maha kumbh 2025 : ભારતમાં ક્યારે અને કેવી રીતે મહા કુંભ મેળાની શરૂઆત થઈ? જાણો ઇતિહાસ
Maha kumbh 2025 : ભારતમાં દર 12 વર્ષે કુંભ મેળાનું આયોજન થાય છે. આ મેળા ભારતના ચાર જુદા જુદા શહેર નાસિક, ઉજ્જેન, પ્રયાગરાજ અને હરિદ્વારમાં યોજાય છે.
દર 12 વર્ષે કુંભ અને 144 વર્ષે મહા કુંભ મેળો યોજાય છે. જણાવી દઈએ કે, કુંભ મેળાનો ઇતિહાસ આજકાલનો નથી પરંતું ઇસવીસન પૂર્વથી ચાલ્યો આવે છે.

હિન્દુ શાસ્ત્રોમાં કુંભ મેળાને અમરત્વનો મેળો કહેવામાં આવ્યો છે. એટલે જ કુંભ મેળામાં લાખો ભક્તો સ્નાન કરવા માટે આવે છે, જેથી તેઓ પોતાના આત્માને શુદ્ધ કરી શકે. મહાકુંભમાં દુનિયાભરના સાધુઓ અને ભક્તો પવિત્ર ડૂબકી લગાવે છે. કુંભ મેળામાં શાહી સ્નાનનું વિશેષ મહત્વ છે.
મહાકુંભનો ઇતિહાસ
મહાકુંભનો ઇતિહાસ સદીઓ જૂનો છે. ભારતીય ગ્રંથો અનુસાર માનવામાં આવે છે કે પ્રથમ કુંભ મેળો સત્યયુગમાં યોજાયો હતો. જેની શરૂઆત શંકરાચાર્ય દ્વારા કરવામાં આવી હતી. કેટલાક લોકો માને છે કે કુંભ મેળો સમુદ્ર મંથન પછી શરૂ થયો હતો. આ અંગે વિગતવાર માહિતી ઉપલબ્ધ નથી.
વિદ્વાનોના મતે કુંભની પરંપરા હજારો વર્ષ જૂની છે. પ્રાચીન શિલાલેખોમાં પણ મહાકુંભનો ઐતિહાસિક ઉલ્લેખ જોવા મળે છે. 600 બીસીમાં બૌદ્ધ લખાણોમાં નદીના મેળાઓની હાજરીના પુરાવા છે.
માન્યતા અનુસાર, સમુદ્ર મંથન સમયે દેવતાઓ અને દાનવો અમૃત માટે લડી રહ્યા હતા ત્યારે ભગવાન ઇન્દ્રનો પુત્ર જયંત અમૃત લઈને ભાગી ગયો. રાક્ષસો પણ ઘડો લેવા માટે તેમની પાછળ દોડ્યા. આ સમયગાળા દરમિયાન દેવતાઓ અને રાક્ષસો વચ્ચે યુદ્ધ થયું.
જ્યારે જયંત અમૃત કળશ લઈને ભાગ્યો ત્યારે અમૃત કળશના કેટલાક ટીપાં આ ચાર સ્થળોએ પડ્યા જ્યાં આજે મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. ત્યારથી, પ્રયાગરાજ, ઉજ્જૈન, નાસિક અને હરિદ્વારમાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે.
જણાવી દઈએ કે, વર્ષ 2025 માં પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 13 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલો આ મેળો 45 દિવસ સુધી ચાલશે અને 26 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
