ભારતીય રેલ ઇતિહાસના ભયાવહ અકસ્માતો
બિહારના સહરસા જિલ્લામાં મોટો ટ્રેન અકસ્માત થયો છે. આ દુર્ઘટનામાં 20 લોકોના મોત થયા નીપજ્યાં હોવાના અહેલાવ મળી રહ્યા છે. આ દુર્ઘટના સહરસા માનસી રેલ ખંડના કે ધમહારા હોલ્ટમાં થયો છે. ટ્રેન સહરસાથી પટણા જઇ રહી હતી. શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે કાત્યાયિની મંદિરમાં દર્શન માટે આવેલા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં રેલવેના પાટા પર ઉભા હતા. યાત્રીઓ ટ્રેન આવે એટલે ટ્રેન પકડવા માંગતા હતા. આ દુર્ઘટનાને આંખે જોનારાઓનું કહેવું છે કે રાજરાની ટ્રેન પસાર થઇ અને પાટા પર ઉભેલા અનેક લોકોને કચડીને આગળ ચાલી ગઇ.
ત્યારે અમે અહીં ભારત ભૂમિ પર છેલ્લા કેટલાક 10-12 વર્ષમાં થયેલા ભયાવહ ટ્રેન અકસ્માત અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ. તો ચાલો તસવીરો થકી 2001થી 2013 સુધીમાં થયેલા આ ભયાનક અકસ્માતો અંગે જાણીએ.

22 જૂન 2001
મેંગ્લોર-ચેન્નાઇ મેઇલ કેરળના કોઝિકોડે નજીક નદીમાં ખાબકી હતી, જેમાં 40 લોકોના મોત નીપજ્યાં હતા.

5 જાન્યુઆરી, 2002
સિકન્દરાબાદ-મુન્મદ એક્સપ્રેસ ટ્રેનને નડેલા અકસ્માતમાં 21 લોકોના મોત નીપજ્યાં હતા અને 31 લોકોને ઇજા પહોંચી હતી.

12 માર્ચ, 2002
શ્રમજીવી એક્રસપ્રેસને ઉત્તરપ્રદેશના જ્હોનપુર ખાતે અકસ્માત નડ્યો હતો, જેમાં 12 લોકોના મોત નીપજ્યાં હતા.

4 જૂન 2002
કાસગુંજ એક્સપ્રેસ અને બસ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 34 લોકોના મોત નીપજ્યાં હતા.

9 સપ્ટેમ્બર 2002
રાજધાની એક્સપ્રેસને નડેલા અકસ્માતમાં 100 લોકોના મોત નીપજ્યાં હતા અને 150 લોકોને ઇજા પહોંચી હતી.

10 સપ્ટેમ્બર 2002
બિહાર ખાતે રાજધાની એક્સપ્રેસને નેડેલા અકસ્માતમાં 120 લોકોના મોત નીપજ્યાં હતા.

15 મે, 2003
ફ્રોન્ટિયર મેલમાં લાગેલી આગમાં 38 લોકોના મોત નીપજ્યાં હતા અને 13ને ઇજા પહોંચી હતી.

22 જૂન, 2003
સેન્ટ્રલ હોલીડે સ્પેશિયલ ટ્રેનને નડેલા અકસ્માતમાં 53 લોકોના મોત નીપજ્યાં હતા, જ્યારે 25 લોકોને ઇજા પહોંચી હતી.

2 જુલાઇ, 2003
વારંગલ ખાતે થયેલા આ ટ્રેન અકસ્માતમાં 18 લોકોના મોત નીપજ્યાં હતા.

27 ફેબ્રુઆરી, 2004
કાંચનજંગા એક્સપ્રેસ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં 30 લોકોના મોત નીપજ્યાં હતા.

15 ડિસેમ્બર, 2004
જમ્મૂ તાવી એક્સપ્રેસ અને લોકલ ટ્રેન વચ્ચે થયેલા અકસ્માતમાં 34 લોકોના મોત નીપજ્યાં હતા અને 50 લોકોને ઇજા પહોંચી હતી.

9 નવેમ્બર, 2006
પશ્ચિમ બંગાળ ખાતે થયેલા રેલવે અકસ્માતમાં 40 લોકોના મોત અને 15ને ઇજા પહોંચી હતી.

1 ડિસેમ્બર, 2006
બિહારમાં એક 150 વર્ષ જૂનો રેલવે બ્રીજ તૂટી પડતા 35 લોકોના મોત અને 17ને ઇજા પહોંચી હતી.

14 નવેમ્બર, 2009
માન્ડોર એક્સપ્રેસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં સાત લોકોના મોત નીપજ્યાં હતા, જ્યારે 60ને ઇજા પહોંચી હતી.

21 ઓક્ટોબર, 2009
ગોઆ એક્સપ્રેસ અને મેવાડ એક્સપ્રેસ વચ્ચે થયેલા અકસ્માતમાં 22 લોકોના મોત નીપજ્યાં હતા અને 26 લોકોને ઇજા પહોંચી હતી.

2 જાન્યુઆરી, 2010
પાંચ ટ્રેન વચ્ચે થયેલા ત્રણ અકસ્માતમાં ઉત્તર પ્રદેશમાં 15 લોકોના મોત નીપજ્યાં હતા.

16 જાન્યુઆરી, 2010
કાલિન્દી એક્સપ્રેસ અને શ્રમ શક્તિ એક્સપ્રેસ વચ્ચે થયેલા અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યાં હતા અને ડઝનેક લોકોને ઇજા પહોંચી હતી.

28 મે, 2010
નક્સલીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં જ્યાનેશ્વરી એક્સપ્રેસના 148 મુસાફરોના મોત નીપજ્યાં હતા.

19 જુલાઇ, 2010
ઉત્તરબંગા એક્સપ્રેસ અને વનાંચલ એક્સપ્રેસ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 56 લોકોના મૃત્યુ થયા હતા.

20 સપ્ટેમ્બર, 2010
ભારે વરસાદના કારણે મધ્યપ્રદેશના ભાદરવાહ રેલવે સ્ટેશન ખાતે ખોટા ટ્રેકમાં જતી રહેલી ટ્રેનને નડેલા અકસ્માતમાં 21 લોકોના મોત અને 53 લોકોને ઇજા પહોંચી હતી.

22 મે, 2011
બિહારમાં એક વ્હીકલ અને ટ્રેન વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 16 લોકોના મોત નીપજ્યાં હતા.

7 જુલાઇ, 2011
ટ્રેન અને બસ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 31 લોકોના મોત નીપજ્યાં હતા.

20 માર્ચ, 2012
ટ્રેન અને ટેક્સી વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 15 લોકોના મોત નીપજ્યાં હતા.

22 મે, 2012
હામ્પી એક્સપ્રેસ અને ગૂડ્સ ટ્રેન વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 14 લોકોના મોત નીપજ્યાં હતા અને 35 લોકોને ઇજા પહોંચી હતી.

30 જુલાઇ, 2012
તમિળનાડુ એક્સપ્રેસ(નવી દિલ્હી-ચેન્નાઇ)ના એક કોચમાં આગ લાગી હતી. જેમાં 47 લોકોના મોત નીપજ્યાં હતા અને 25ને ઇજા પહોંચી હતી.












Click it and Unblock the Notifications
