મુજફ્ફરનગરના ગ્રામીણો નહી મનાવે દિવાળી
મુજફ્ફરનગર, 27 ઓક્ટોબર: રમખાણોની માર સહન કરનાર મુજફ્ફરનગરના હજારો ગ્રામીણો આ વર્ષે દિવાળી પર ના તો ફટાકડા ફોડશે અને ના તો મીણબત્તી સળગાવીને ઘરની સજાવટ કરશે. ગત મહીને ભડકેલી હિંસા દરમિયાન સરકારની ભૂમિકાથી નારાજ કેટલાક ગામડાઓના લોકો આ વર્ષે દિવાળી નહી મનાવે.
સિસૌલી, બુઢાણા, પુરકાજી અને સિખેડા વિસ્તારના લગભગ 15 ગામના લોકો સપ્ટેમ્બરમાં બે કોમ વચ્ચે ભડકેલી હિંસામાં નિર્દોષ લોકોની મોત પર ઘટનામાં રાજ્ય સરકારની કથિત એક પક્ષીય કાર્યવાહીથી નારાજ થઇને આ વર્ષે દિવાળી નહી મનાવવાની જાહેરાત કરી છે.
સલેમપુર ગામન પૂર્વ સરપંચ પ્રેમ સિંહ રાણાએ કહ્યું હતું કે 'આસપાસના લગભગ પાંચ ગામની પંચાયત કરીને અમે નિર્ણય કર્યો છે કે રાજ્ય સરકાર દ્વારા ફક્ત સમુદાય વિશેષને ખુશ કરવા માટે કોઇ એક પક્ષીય કાર્યવાહી વિરૂદ્ધ અમે દિવાળી ઉજવીશું નહી.'
સલેમપુરની જેમ અન્ય ગામના લોકોએ પણ પંચાયત કરી નિર્ણય કર્યો છે કે તે દિવાળી રાત્રે ના તો ઘરમાં દીવો પ્રગટાવશે, ના તો મીણબત્તીથી ઘરને સજાવશે અને ના તો ફડાકડા ફોડશે. તેમની દિવાળી ફક્ત ગણેશ-લક્ષ્મીની પૂજા સુધી સીમિત રહેશે.
લખનૌતી ગામના નિવાસી પ્રેમપાલ શર્માએ કહ્યું કે જો કવાલની ઘટનામાં રાજ્ય સરકારની નિષ્પક્ષ કાર્યવાહી કરતી તો રમખાણની સ્થિતી પેદા જ ન થતી અને નિર્દોષ લોકો મોતને ન ભેટતા.

શર્માએ કહ્યું કે 'હિંસા બાદ હવે આપણા સમુદાયના હજારો લોકો ખોટા કેસમાં ફસાવવામાં આવે છે. કેટલાક ગામના યુવકો બીજા સ્થળોએ શરણ લીધી છે, કારણ કે તેમને ડર છે કે ક્યાંક પોલીસ તેમને રમખાણના આરોપમાં પકડી ન જાય. રાજ્ય સરકારની એકતરફી કાર્યવાહીથી અમે લોકો ખૂબ ડરેલા છે, એવી હાલતમાં અમે ખુશીઓ શું મનાવીએ.'
યાદ રહે કે રાજ્ય સરકાર પર એકતરફી કાર્યવાહીનો આરોપ લગાવતાં લગભગ ડઝનો ગામના લોકો દશેરાના દિવસે બુરાઇના પ્રતિક ગણવામાં આવતાં રાવણ, કુંભકર્ણ અને મેધનાથના પુતળાને બાળવાને બદલે સપાના સુપ્રીમો મુલાયમ સિંહ યાદવ, મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને કેબિનેટ મંત્રી આજમ ખાનના પુતળાને સળગાવ્યા હતા.
27 ઓગષ્ટના રોજ જિલ્લાના કવાલ ગામમાં એક છેડતીની ઘટનાને લઇને થયેલા વિવાદે જોર પકડ્યા બાદ સપ્ટેમ્બરમાં જિલ્લામાં હિંસા ભડકી ઉઠી હતી, જેમાં 62 લોકો મૃત્યું પામ્યાં હતા અને લગભગ 50 હજાર લોકો બેઘર થયા હતા.
હિંસા બાદ એક ખાનગી ચેનલના સ્ટિંગ ઓપરેશનમાં આ પ્રકારની વાત સામે આવી હતી કે રાજ્ય સરકારના એક વરિષ્ઠ મંત્રીએ અધિકારીઓને કવાલ ઘટનાના આરોપીઓને પોલીસ કસ્ટડીમાં છોડી મૂકવાનું કહ્યું હતું, ત્યારબાદ બીજા સમુદાયના લોકોમાં અસંતોષ પેદા થયો અને પરિસ્થિતી બગડવાનું શરૂ થઇ ગયું.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે?









Click it and Unblock the Notifications
