કાળી ચૌદસની સાથે આજે હનુમાન જયંતિ પણ, થશે મંગળ જ મંગળ
કાળી ચૌદસની સાથે આજે હનુમાન જયંતિ પણ, થશે મંગળ જ મંગળ
નવી દિલ્હીઃ આજે નરક ચતુર્દશી એટલે કે કાળી ચૌદસ છે, આજના દિવસે લોકો પોતાના ઘરની તમામ બેકાર વસ્તુઓ અને કબાટને ઘર બહા કાઢે છે અને પોતાના ઘરને સાફ કરે છે. માન્યતા મુજબ આજના દિવસને ભગવાન હનુમાનના જન્મદિવસના રૂપમાં પણ મનાવવામાં આવે છે, આજે મંગળવાર છે માટે આજના દિવસે નરક ચતુર્દશી પડવાથી આ પર્વ વધુ મહત્વપૂર્ણ બની ગયો છે. આજના દિવસે અભ્યંગ સ્નાન કરવામાં આવે છે.

કૃષ્ણ પક્ષની ચતુર્દશી
ઉલ્લેખનીય છે કે કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીને નક ચતુર્દશી અને રૂપ ચતુર્દશી કહેવાય છે. દીપાવલીના એક દિવસ પહેલા આવવાથી કેટલાક લોકો આને નાની દિવાળી તરીકે પણ મનાવે છે. આ દિવસ નરકની યાતનાથી છૂટકારો મેળવવાનો હોય છે.

રૂદ્રનો અગ્યારમા અવતાર હનુમાન
વિવિધ ભાષાઓમાં લખાયેલ રામાયણના કેટલાય અંકોમાં ભગવાન રામના ભક્ત મહાવીર હનુમાનજીનો જન્મ દિવાળીના એક દિવસ પહેલા નરક ચતુર્દશીના દિવસે બતાવવામાં આવ્યો છે. હનુમાનજીને રુદ્રનું અગ્યારમું રૂપ માનવામાં આવ્યું છે.

હનુમાન જયંતિ
કાર્તકના કૃષ્ણ ચતુર્દશીના પવનપુત્ર હનુમાન જયંતિ મનાવવામાં આવે છે. આ દિવસે ભગવાન પોતાના ભક્તો ઉપર બહુ જલદી પ્રસન્ન થઈ જાય છે માટે આ દિવસે એણની પૂજા પણ વિધિ-વિધાનથી કરવી જોઈએ. હનુમાનને બજરંગ બલી કેમ કહીએ છીએ? કહેવાય છે કે હનુમાનજીને ગુસ્સો નહોતો આવતો માટે જે લોકો બહુ ગુસ્સો કરે છે એમણે હનુમાનજીની ઉપાસના કરવાની સલાહ આપવામાં આવે છે. હનુમાનજીને બજરંગબલી એટલા માટે કહેવામાં આવે છે કેમ કે એમનું શરીર એક વજ્રની જેમ મજબૂત છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
