નવરાત્રી: આ વખતે બની રહ્યા છે ત્રણ અદ્ભુત સંયોગ, પૂજાથી મળશે વિશેષ લાભ
નવરાત્રી: આ વખતે બની રહ્યા છે ત્રણ અદ્ભુત સંયોગ, પૂજાથી મળશે વિશેષ લાભ
10મી ઓક્ટોબરથી નવરાત્રીનો પ્રારંભ થી રહ્યો છે અને 18મી ઓક્ટોબરે નવરાત્રી સમાપ્ત થશે તથા 19મી ઓક્ટોબરે વિજયાદશમીનો પર્વ મનાવવામાં આવશે. આ વખતે બે તિથિ જોડે હોય પહેલું અને બીજું નોરતું સાથે પડી રહ્યું છે. જો કે એક નોરતું ઓછું પડી રહ્યું હોવા છતાં નવરાત્રી નવ દીવસની જ થવાની છે. આગળ જાણો તેની પાછળનું કારણ...

ચંડી યજ્ઞ
અશ્વિન શુક્લ પક્ષમાં શરદ નવરાત્રી આવવાથી અનેક પ્રકારના ચંડી યજ્ઞ પણ કરવામાં આવી રહ્યા છે. જેની તૈયારી અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. ચિત્રા નક્ષત્રમાં પ્રારંભ થઈ રહ્યો હોવાથી પણ આ વખતે નવરાત્રી વિશિષ્ટ હશે. જ્યારે મહાનવમીનું આગમન શ્રવણ નક્ષત્રામં થશે, આ દિવસે ધ્વજ યોગ છે. આ વર્ષે શરદ નવરાત્રી તમામ દેશ વાસિઓ માટે બહુ શુભ હોવાની વાત કહેવામાં આવી રહી છે.

ઘટ સ્થાપન
પહેલા નોરતાના દિવસે બપોરના સમયે ઘટ સ્થાપના થશે. દેવી ભાગવતના પાઠ કરનારા શ્રદ્ધાળુ આ દિવસે બે પાઠ કરશે. બીજું નોરતું પણ પહેલા નોરતાના દિવસે જ મનાવી લેવામાં આવશે. આ પ્રકારે સષ્ટમ નોરતુ 14 અને 15 બંને દિવસે વિદ્યમાન રહેશે.

સૂર્યનો તુલામાં પ્રવેશ
15 ઓક્ટોબરે સરસ્વતી આહ્વાન કરવામા આવશે. 16મી ઓગસ્ટે શુક્રાસ્ત થઈ જશે. 17મી ઓક્ટોબરે દુર્ગા અષ્ટમીના દિવસે સૂર્યનો તુલા રાશિમાં પ્રવેશ થશે.
આ પણ વાંચો- નવરાત્રી ઉપવાસ દરમિયાન રાખો આ વાતોનું ખાસ ધ્યાન...













Click it and Unblock the Notifications
