"પથરી"થી બચવું છે તો નવરાત્રીના ઉપવાસ કરો આ રીતે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેમ જ ગુજરાતભરના અનેક લોકો નવલી નવરાત્રીના સમયે નકોડા ઉપવાસ કે ઉપવાસ કરતા હોય છે. સામાન્ય રીતે સ્વાસ્થયની દ્રષ્ટ્રિએ એક દિવસનો ઉપવાસ ફાયદાકારક છે પણ સતત 9 દિવસનો જ્યારે તમે ઉપવાસ કરો છો ત્યારે ડોક્ટરોનું કહેવું છે કે લોકોએ થોડીક ખાસ પ્રકારની કાળજી રાખવી જોઇએ જેથી કરીને તેમના શરીર પર અન્ય પ્રકારની મુશ્કેલીઓ લાંબા ગાળે ના આવે.
દિલ્હીના ડોક્ટર સુશીલ જૈનએ જણાવ્યું કે વ્રત રાખતી વખતે જો થોડીક સાવધાની રાખવામાં આવે તો લાંબા ગાળે આવા ઉપવાસથી તેના કારણે જે કિડનીને અસર પડે છે અને તેના કારણે પથરી થવાની જે સંભાવના ઊભી થાય છે તે ટાળી શકાય. જો કે અનેક લોકો વર્ષોથી આ રીતના ઉપવાસ, વ્રત કરે છે અને તે સંપૂર્ણ પણે શ્રદ્ધાનો વિષય છે પણ તેમ છતાં નીચે મુજબ કાળજી લેવી સ્વાસ્થયની દ્રષ્ટ્રિએ લાભકારી છે. તો વાંચો કંઇ વસ્તુઓ ઉપવાસમાં તમને લાભ પહોંચાડી શકે છે...

પાણી અને જ્યૂસ પર ભાર
નવ દિવસના ઉપવાસ દરમિયાન લીબુંનું પાણી, નાળિયેર પાણી, વિટામિન યુક્ત ફળોનું સેવન લાભકારી છે સાથે જ પાઇનેપલનો રસ પીવાથી પણ લાભ મળે છે.

ચા-કોફી
વ્રત સમયે વધુ પડતી ચા કે કોફી તમને એસિડિટી કરાવી શકે છે. તો તેના બદલે જ્યૂસ કે નવસેકા પાણીમાં સાકર નાંખીની પીવી વધુ લાભકારી રહેશે.

ઉપવાસમાં શું લેવું
ભલે તમે અન્નનો ત્યાગ નવ દિવસ માટે કર્યો હોય પણ તમારા દરરોજના જમવાના સમયે તમારે અન્નના બદલે પનીરની બનેલી મીઠાઇ, ફળ ફયાદી કે સલાડ જરૂરથી લેવા જોઇએ. સાંજે નવસેકુ દૂધ પણ હિતકારી રહેશે

કાકડી- ટમેટા
નવરાત્રીના ઉપવાસના સમયે કાકડી, દૂધી, ટમેટા, કંદમૂળ ખાવાથી લાભ રહે છે. કારણ કે આપણે ઉપવાસ દરમિયાન રોજિંદુ કામ તો કરીએ જ છીએ જે માટે ઊર્જા તો જરૂરી જ છે. જો કે બજારની મીઠાઇઓથી દૂર રહેવું હિતાવહ છે.

ઓછું તેલ
ધણા લોકો ફરાળ કરીને પણ માતાજીના વ્રત કરતા હોય છે તે લોકોએ ખાસ કરીને સાંજના સમયે ઓછા તેલમાં તળેલી વસ્તુઓ ખાવી જોઇએ.

સાંજનો ખોરાક
સાંજે બાફેલી વસ્તુઓ પર વધુ ભાર મૂકવો, દૂધ જેવો હળવો આહાર લેવો વધુ હિતકારી છે. વળી રાતના સમયે ફળોમાં સફરજન અને કેળાને બાદ કરી અન્ય કોઇ સેટ્રિક ફ્રૂટ લેવાનું ટાળવું જોઇએ.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
