આ નવરત્નોએ પાર પાડી મોદીની નાવડી
ગાંધીનગર, 16 મે: જેમ-જેમ વોટોની ગણતરી શરૂ થશે, તેમ-તેમ મતદારોએ દેશનું ભાગ્ય કોના હાથમાં સોપ્યું છે તે સામે આવી જશે. એક્ઝિટ પોલના અનુસાર મતદારોએ આ વખતે મોદી સરકારના પક્ષમાં મતદાન કર્યું છે અને ભાજપ સ્પષ્ટ બહુમત સાથે સરકાર બનવવા જઇ રહી છે. જો આમ થાય છે તો તેના પાછળ નરેન્દ્ર મોદીની છબિ અને તેમના પ્રભાવને નકારી ન શકાય.
ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની લહેરની સાથે-સાથે તેમના નવરત્નોના સહયોગને પણ ઓછો આંકી ન શકાય. જે દરેક સમયે નરેન્દ્ર મોદીની સાથે મજબૂતી સાથે ઉભા રહ્યાં અને તમામ વિરોધો છતાં ચૂંટણી મહાસમરમાં તેમના પક્ષમાં માહોલ બનાવવામાં આકરી મહેનત કરી. સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ અને જાણો કયા છે તે નવરત્નો...

અમિત શાહ
નરેન્દ્ર મોદીના હનુમાન તરીકે ઓળખાતા અમિત શાહને આ મહાસમરમાં ઉત્તર પ્રદેશનો આકરો પડકાર સોંપવામાં આવ્યો હતો. જાત-પાતના રાજકારણથી પ્રભાવિત ઉત્તર પ્રદેશમાં સપા-બસપા અને તેમના મજબૂત કૈડરને પાર પાડવો અમિત શાહને પડકારના રૂપમાં મળ્યો. તેમણે ઉત્તર પ્રદેશની જવાબદારી સંભાળતા જ નિર્જીવ પડેલા ભાજપા કૈડરમાં જીવ પુરી દિધો.

ભાજપના નાથ
ભાજપના નાથ એટલે કે રાજનાથ સિંહે પાર્ટીના એક ધડાના તીખા વિરોધ છતાં ના ફક્ત નરેન્દ્ર મોદીને પહેલાં પ્રચારના પ્રમુખ બનાવ્યા, પરંતુ પછી વડાપ્રધાન પદના ઉમેદવાર પણ બનાવાયા. રાજનાથ સિંહના મહત્વનો અંદાજો એ વાતથી લગાવી શકાય કે નરેન્દ્ર મોદી જેમની સાથે સીધા હૉટ લાઇન પર હોય છે, તે રાજનાથ સિંહ છે.

અરૂણ જેટલી
અરણ જેટલી અને નરેન્દ્ર મોદી વચ્ચે ખૂબ જામે છે. નરેન્દ્ર મોદીના સદભાવના ઉપવાસ કાર્યક્રમ દરમિયાન જેટલીએ સાર્વજનિક રીતે મંચ પરથી કહ્યું હતું કે તેમના અને નરેન્દ્ર મોદી વચ્ચે દરરોજ ફોન પર વાતચીત થાય છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અરૂણ જેટલીએ ઘણી મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. ઇશારા ઇશારામાં સૌથી પહેલા6 અરૂણ જેટલીએ જ નરેન્દ્ર મોદીને પીએમ પદના ઉમેદવાર માટે વાતાવરણ બનાવ્યું હતું અને પછી અન્ય ટોચના નેતાઓ નરેન્દ્ર મોદીના પક્ષમાં લામબંદ કર્યો.

નિતિન ગડકરી
બીજાથી અલગ નિતિન ગડકરી માટે નરેન્દ્ર મોદીના નવરત્નોમાં સામેલ હોવું આસાન ન હતું. નિતિન ગડકરીના પાર્ટી અધ્યક્ષ રહેતાં નરેન્દ્ર મોદી સાથે તેમના ટકરાવના ઘણા મુદ્દા સામે આવ્યા. કહેવામાં તો ત્યાં સુધી આવે છે કે નિતિન ગડકરીને ફરીથી અધ્યક્ષ બનાવવાના પક્ષમાં નરેન્દ્ર મોદી ન હતા, કારણ કે તેમને લાગતું હતું કે નિતિન ગડકરી તેમની વડાપ્રધાન પદની ઉમેદવારીના માર્ગમાં અડચણ બની શકે છે.

સ્મૃતિ ઇરાની
નાના પડદાની ચમક દમકથી નિકળીને રાજકારણના મેદાનમાં ઉતરનારી સ્મૃતિ ઇરાની જ તે નેતા છે, જેમણે નમો ટીનો આઇડિયા આપ્યો. ગુજરાતમાં રમખાણોને લઇને એકસમયે નરેન્દ્ર મોદી પાસે રાજીનામાની માંગણી કરનાર તુલસી એટલે કે સ્મૃતિ ઇરાની આ ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની છબિને ચમકાવવામાં પુરી તાકાત લગાવી દિધી.

ભાજપના ખજાનચે
ભાજપના ખજાનચી છે પીયૂષ ગોયલ. પીયૂષ ગોયલના પિતા પણ ભાજપના ખજાનચી હતા. સ્મૃતિ ઇરાનીએ આઇડિયા આપ્યો તો પીયૂષ ગોયલે નમો ટીનું આયોજન સફળતાપૂર્વક અંજામ સુધી પહોંચાડ્યું. પીયૂષ ગોયલ જ સોશિયલ મીડિયાનું કામકાજ જોવે છે.

રામલાલ
રામલાલ ભાજપમાં સંગઠન મહામંત્રી છે. સંઘના પ્રતિનિધિ રામલાલ નરેન્દ્ર મોદીના ઘણા અંગત માનવામાં આવે છે. તેમણે આ મહાસમરમાં નરેન્દ્ર મોદીના પક્ષમાં માહોલ બનાવવા માટે પોતાની તાકાત લગાવી દિધી હતી.

અનંત કુમાર
ભાજપમાં વરિષ્ઠ નેતા અનંત કુમાર પણ લાલકૃષ્ણ અડવાણીના કટ્ટર સમર્થકોમાં સામેલ છે. તેમછતાં તે નરેન્દ્ર મોદીની નજીક આવ્યા અને આ મહાસમરમાં નરેન્દ્ર મોદી માટે ખુલીને ચૂંટણી પ્રચાર કર્યો. વારાણસીમાં થયેલા નરેન્દ્ર મોદીના રોડ શોમાં તે પણ સામેલ થયા.

ગોપીનાથ મુંડે
મહારાષ્ટ્રના પૂર્વ ઉપમુખ્યમંત્રી ગોપીનાથ મુંડે જમીન સાથે જોડાયેલા નેતા છે. મહારાષ્ટ્રના રાજકારણમાં ભાજપ માટે ભીડ એકઠી કરનાર તે એકમાત્ર રાજનેતા છે અને મહારાષ્ટ્રમાં પાર્ટીને ઉભી કરવામાં તેમનું ઉલ્લેખનીય યોગદાન રહ્યું છે. ગોપીનાથ મુંડેનો પછાત વર્ગોમાં સારો પ્રભાવ ધરાવનાર મહત્વપૂર્ણ ઓબીસી નેતા છે. તેમણે આ ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની પક્ષમાં લહેર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
-
Assam Assembly Election 2026: સવારે 11 વાગ્યા સુધીમાં 39% મતદાન થયું -
અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ આસામના મતદારોને ચૂંટણીમાં સક્રિયપણે ભાગ લેવા વિનંતી કરી -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
ભારત યુએન આર્થિક અને સામાજિક પરિષદ સંસ્થાઓમાં ચૂંટાયું -
'મારા પતિએ 9 મહિલાઓ સાથે સંબંધ રાખ્યા', જાણીતી અભિનેત્રીનું દર્દ છલકાયું; 14 વર્ષ સાથે રહ્યા પછી જે થયું તે ચો -
DC vs GT Weather Update: દિલ્હીમાં વરસાદનું સંકટ; જાણો ગુજરાત ટાઇટન્સ સામેની મેચ રમાશે કે નહીં? -
પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને ખડગે પર શર્માની ટિપ્પણીના સમર્થન અંગે સ્પષ્ટતા માગી -
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ










Click it and Unblock the Notifications
