જે વર્ગમાં વધુ નંબર લાવે તે જ્ઞાની પણ હોય, તેવું વિચારવું ખોટું છે: સ્વામી વિવેકાનંદ
જે વર્ગમાં વધુ નંબર લાવે તે જ્ઞાની પણ હોય, તેવું વિચારવું ખોટું છે: સ્વામી વિવેકાનંદ
12 જાન્યુઆરી એ સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ છે, સ્વામી વિવેકાનંદે આખા જીવન ચરિત્રના નિર્માણ પર ભાર મૂક્યો હતો. તેઓ એવું શિક્ષણ ઇચ્છતા હતા જેનાથી બાળકનો સર્વાંગી વિકાસ થઇ શકે. બાળકના શિક્ષણનો ઉદ્દેશ તેને આત્મનિર્ભર બનાવવાનો અને તેના પગ પર ઉભો કરવાનો હતો માત્ર નોકરી કરવાનો નહીં.

સ્વામી વિવેકાનંદે પ્રચલિત શિક્ષણને 'નિષેધાત્મક શિક્ષણ' કહ્યું હતું
સ્વામી વિવેકાનંદે પ્રવર્તમાન શિક્ષણને 'પ્રતિબંધિત શિક્ષણ' ગણાવ્યું હતું અને કહ્યું હતું કે તમે એવી વ્યક્તિને શિક્ષિત માનો છો કે જેણે કેટલીક પરીક્ષાઓ પાસ કરી લીધી હોય અને જે સારા ભાષણો આપી શકતા હોય, પરંતુ વાસ્તવિકતા એ છે કે જે શિક્ષણ માણસને જીવન સંઘર્ષ માટે તૈયારી કરતું નથી, જે ચરિત્ર નિર્માણ કરતુ નથી.
જે સિંહની જેમ હિંમત પેદા કરી શકે નહીં...
તે સમાજ સેવાની ભાવના વિકસિત કરતું નથી અને જે સિંહની જેમ હિંમત પેદા કરી શકતું નથી, આવા શિક્ષણથી શું ફાયદો થાય છે, તેથી વિવેકાનંદે સૈદ્ધાંતિક શિક્ષણને બદલે વ્યવહારિક શિક્ષણ પર ભાર મૂક્યો હતો, તેમને હંમેશા કહ્યું હતું કે જો બાળક વર્ગમાં વધુ નંબર લઈને આવે અને તે જ્ઞાની પણ હોય, એ વિચારવું ખોટું છે, નંબર સાથે જ્ઞાનનો કોઈ સંબંધ નથી.

વિવેકાનંદે શિક્ષણ વિશે નીચેની વાતો કહી હતી...
- શિક્ષણ એવું હોવું જોઈએ કે જેનાથી બાળકનો શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ થઈ શકે.
- શિક્ષણ એવું હોવું જોઈએ કે જેનાથી બાળકના ચરિત્ર નું નિર્માણ થાય.
- શિક્ષણ એવું હોવું જોઈએ કે જેનાથી મનનો વિકાસ થાય.
- શિક્ષણ એવું હોવું જોઈએ કે જેનાથી બુદ્ધિનો વિકાસ થાય અને બાળકો આત્મનિર્ભર બને.

'આર્થિક પ્રગતિ માટે તકનીકી શિક્ષણ આવશ્યક'
- છોકરા અને છોકરી બંનેને સમાન શિક્ષણ આપવું જોઈએ.
- ધાર્મિક શિક્ષણ પુસ્તકોને બદલે સંસ્કારો દ્વારા આપવું જોઈએ.
- દેશની આર્થિક પ્રગતિ માટે તકનીકી શિક્ષણની વ્યવસ્થા કરવી જોઈએ.
- અંકો પર ગયા વિના બાળકોને વિષયનું જ્ઞાન આપવાનો પ્રયત્ન કરો.












Click it and Unblock the Notifications
