30 જુલાઈ એ છે શ્રાવણનો પહેલો સોમવાર, શિવને ખુશ કરવા માટે લાવો આ વસ્તુઓ
આ વર્ષે શ્રાવણ મહિનાની લોકોએ થોડી વધુ રાહ જોવી પડશે. અધિક માસના કારણે આ વખતે શ્રાવણ 18 દિવસ મોડો 28 જુલાઇથી શરૂ થશે.
આ વર્ષે શ્રાવણ મહિનાની લોકોએ થોડી વધુ રાહ જોવી પડશે. અધિક માસના કારણે આ વખતે શ્રાવણ 18 દિવસ મોડો 28 જુલાઇથી શરૂ થશે. જો કે, સારી વાત એ છે કે આ વખતે શ્રાવણ પૂરા 30 દિવસનો રહેશે. તે પૂરો 26 ઓગષ્ટના રોજ રક્ષાબંધનના તહેવાર સાથે થશે.
શ્રાવણ મહિનાની તિથિ 27 જુલાઈ ના રોજ છે પરંતુ તેને ઉદય તિથિથી શરૂ માનવામાં આવશે. તેથી તેની શરૂઆત 28 જુલાઈથી માનવામાં આવશે. આ વખતે શ્રાવણમાં ચાર સોમવાર હશે. પ્રથમ શ્રાવણનો સોમવાર 30 જુલાઈ 2018 ના રોજ હશે.
આ મોકા પર અમે કેટલીક એવી વસ્તુઓ વિશે વાત કરી રહ્યા છીએ, જે ભગવાન શિવના ખૂબ જ પ્રિય છે, જો તમે આ શ્રાવણમાં ઘરે આ વસ્તુઓ લાવો છો, તો ચોક્કસ તમને શિવજીની કૃપા મળશે.

19 વર્ષ પછી બનશે દુર્લભ સંયોગ
આ વર્ષનો શ્રાવણ મહિનો ખૂબ જ ખાસ બનશે કારણ કે 19 વર્ષ પછી એક દુર્લભ સંયોગ બન્યો છે. આ વખતે શ્રાવણ મહિનો 28 અથવા 29 દિવસ નહીં પરંતુ 30 દિવસ સુધી ચાલશે. આવો સંયોગ 19 વર્ષ પછી થઈ રહ્યો છે. વાસ્તવમાં,આ વખતે શ્રાવણ 30 દિવસનો અધિક માસના કારણે છે.

ભસ્મ
પહેલા સોમવારે અથવા શ્રાવણના કોઈ પણ સોમવારે શિવ મૂર્તિ સાથે જો ભસ્મ રાખશો તો શિવ કૃપા મળશે.

રુદ્રાક્ષ
એવું માનવામાં આવે છે કે રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુથી થઇ હતી. તેથી, જો તમે તેને શ્રાવણના સોમવારે ઘરમાં લાવો છો અને ઘરના મુખીયાના રૂમમાં રાખો, તો ભગવાન શિવ અટકેલું કામ પૂરું કરે છે, અને તેનાથી આર્થિક લાભ પણ થાય છે. અને ઘણી બધી પ્રગતિ મળે છે.

ગંગા જળ
ભગવાન શંકરે ગંગા માને પોતાની જટા માં સ્થાન આપ્યું હતું. તેથી, જો તમે શ્રાવણના સોમવારના રોજ ગંગા જળ લાવીને ઘરના રસોડામાં રાખો તો ઘરની સમૃદ્ધિમાં વધારો કરશે, પ્રગતિ અને સફળતા મળશે.

ચાંદીના નંદી
ઘરમાં ચાંદીની ગાય રાખવી મહત્વનું છે, તે જ રીતે ઘરમાં ચાંદીના નંદી રાખવાનું પણ ખાસ મહત્વ છે. તમારી તિજોરી અથવા કબાટમાં જ્યાં તમે પૈસા અને આભૂષણો મૂકો છો, ત્યાં ચાંદીના નંદી મૂકો. આનાથી તમને ફાયદો થશે અને તમારી નાણાકીય સમૃદ્ધિમાં વધારો થશે અને તે સુરક્ષિત પણ રહેશે.

ડમરુ
આ શિવનું પવિત્ર વાદ્ય સાધન છે. તેના પવિત્ર ધ્વનિથી આસપાસની બધી નકારાત્મક શક્તિ દૂર ભાગે છે. ડમરુના ધ્વનિને સ્વાસ્થ્ય માટે અસરકારક માનવામાં આવે છે. શ્રાવણ માસના પ્રથમ દિવસે લાવો અને છેલ્લા દિવસે કોઈ પણ બાળકને આ ડમરુની ભેટ આપો.

ચાંદી અથવા તાંબાનું ત્રિશૂળ
ઘરના હોલમાં ચાંદી અથવા તાંબાના ત્રિશૂળ સ્થાપિત કરીને, તમે ઘરની બધી નકારાત્મક ઊર્જા ખતમ કરી શકો છો. આ વખતે શ્રાવણમાં તેને જરૂર લાવજો.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
