શું ખરેખરમાં ગાંધારીને 101 સંતાન હતી?
મહાભારત રાજકારણ અને કાવતરાની એક એવી વાર્તા છે જેમાં જેટલા ઉંડા ઉતરતા જાવ તેટલા તમારી સામે નવા નવા આશ્ચર્ય આવતા જાય. ત્યારે જ્યારે પણ મહાભારતની ચર્ચા થાય ત્યારે મનમાં એક સવાલ ઊભો થાય કે શું ગંધારીને ખરેખરમાં 101 સંતાન હતી?
પ્રકૃતિના નિયમ મુજબ એક બાળકને માંના ગર્ભમાંથી જન્મ લેવા માટે 9 મહિનાનો સમય લાગે. જે મુજબ જો તે 100 બાળકોને જન્મ આપે તો સૌથી મોટી છોકરો 100માં છોકરાના જન્મે 75 વર્ષનો હોવા જોઇએ.
વધુમાં ગાંધારીએ ખરેખરમાં 101 બાળકોને જન્મ આપ્યો હોય તો તેની ઉંમર કેટલી હતી. જો તેને એક સમય બે કે ત્રણ બાળકો સાથે પણ થયા હોય તો મહાભારત કાળ દરમિયાન તેની સમાપ્તિ થવી અશક્ય છે. તથા એક જ સમયે 100 બાળકોને જન્મ આપવો અને તે તમામ બાળકો જીવતા રહેવા વિજ્ઞાનની દ્રષ્ટ્રિએ પણ અશક્ય છે.
જો કે ધણા લોકોનું કહેવું છે કે મહાભારત એક વર્તા અને તેનો ઉદ્દેશ બોધપાઠ મેળવવા પૂરતો જ છે. ત્યાં જ બીજી તરફ અમુક લોકો આ બાબતે પણ ચર્ચા પર છે કે તેવું બની પણ શકે કે મહાભારત હકીકતમાં હોય.
તો ચાલો ગાંધારીના 101 બાળકો અંગેના વિવિધ તર્ક વિષે થોડીક જાણીકારી મેળવીએ. જુઓ આ ફોટોસ્લાઇડર...
ચમત્કાર કે વિજ્ઞાન
એક માન્યતા મુજબ ગાંધારીને ખાલી બે જ પુત્રો હતા દુર્યોધન અને બીજો દુશાસન. કારણ કે આખા મહાભારતમાં ગાંધારીના આ બે પુત્રોનો જ ઉલ્લેખ છે. વધુમાં વિકર્ણ અને યુયુત્સુ નામના ગાંધારીના અન્ય બે પુત્રોનો પણ ઉલ્લેખ છે જે આંશિક છે.
PIC COURTESY: Ramnadayandatta Shastri Pandey
વ્યાસનું વરદાન
મહાભારતના રચયતા મહર્ષિ વ્યાસ ગાંધારીની સેવાથી ખુબ જ પ્રસન્ન થયા હતો અને તેમણે ગાંધારીને 100 પુત્રોનું વરદાન આપ્યું હતું. જે મુજબ ફળસ્વરૂપે ગાંધારીને 100 પુત્રો મળ્યા હતા.
ગાંધારીની નિરાશા
ગાંધારીના લગ્ન એક અંધ રાજા જોડે થયા હતા. તેને આખુ જીવન પોતાની આંખ પર પટ્ટી બાંધી રાખી. વધુમાં ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને ડર હતો કે તેનો નાના ભાઇ પાંડુ અને તેના પુત્રો તેમનો આ રાજપાઠ લઇ ના લે. માટે જ તે કુંતિ કરતા પહેલા બાળક પ્રાપ્ત કરવા ઇચ્છતા હતા.
PIC COURTESY: Ramanarayanadatta astri
માંસનો દેહ
પણ જ્યારે ગાંધારીને ખબર પડી કે કુંતિએ 3 બાળકોને દેવીય રીતે જન્મ આપ્યો છે તેણે પોતાના ગર્ભને ગુસ્સામાં પીટવાનું શરૂ કર્યું. તેણે એટલા જોરજોરથી ગર્ભને પીટ્યું કે ગર્ભમાંથી માંસનો દેહ બહાર આપ્યો. તે સમયે મહર્ષિ વ્યાસ પણ ત્યાં હતા. તેમણે ગાંધારીના આ માંસનો દેહના 101 ટુકડા કરીને તેને 101 ધીના ડબ્બામાં ભરી નાખ્યો. જેમાંથી ગાંધારીના 101 બાળકોનો જન્મ થયો.
ચમત્કાર કે આધુનિક વિજ્ઞાન
આ શું કોઇ વરદાન હતું કે આધુનિક વિજ્ઞાન? પણ અમુક લોકોને મોર્ડન સાયન્સ મુજબ ઇન-વેટરો-ફેર્ટિલાઇજેશન (આઇવીએફ) માને છે જે આજકાલ સામાન્ય છે. જો કે તેમ છતાં જાણકારોનું કહેવું છે કે મહાભારતને એક કથા કે વાર્તા સ્વરૂપે જ જોવી જોઇએ.