આ છે દુનિયાના સૌથી મોંઘા બટાટા, એક કિલોની કિંંમતમાં 10 ગ્રામ સોનુ આવી જાય, જાણો ક્યાં ઉગાડાય છે?
બટાટા રસોડાનો રાજા છે અને તમામ ઘરમાં બટાટા ખવાય છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે સામાન્ય રીતે 10-20 રૂપિયે કિલો વેચાતા બટાટાની એક વેરાયટી હજારો રૂપિયે કિલો વેચાય છે.
આપણે જે બટાકાની વાત કરી રહ્યા છીએ તેને લે બોનેટ પોટેટો તરીકે ઓળખવામાં આવે છે. આ બટાકાને એક કિલો ખરીદવા માટે અંદાજે 50 હજાર રૂપિયા ચૂકવવા પડે છે.

જણાવી દઈએ કે આ કિંમતમાં તમે 10 ગ્રામ સોનું ખરીદી શકો છો. આટલા મોંઘા હોવા છતાં આ બટાકાની દુનિયાભરમાં માંગ છે. શ્રીમંત લોકો તેને ખૂબ ઉત્સાહથી ખાય છે.
લે બોનેટ બટાટા આટલા ઊંચા ભાવે વેચાય તેની પાછળ એક ખાસ કારણ છે. કહેવાય છે કે તે આખા વર્ષમાં માત્ર 10 દિવસ જ બજારમાં મળે છે. તે ફક્ત ફ્રાન્સમાં ઇલે ડી નોર્મોટિયર ટાપુ પર ઉગાડવામાં આવે છે. અહીં સિવાય આ બટેટા બીજે ક્યાંય મળતા નથી, એટલે જ આ બટાકાની કિંમત આટલી વધારે છે.
આ બટાકામાં ઘણા પોષક તત્વો મળી આવે છે. તેની છાલ પણ ફાયદાકારક છે. તેને ખાનારા લોકોનું કહેવું છે કે આ બટાકામાં લીંબુ, મીઠું અને અખરોટનો મિશ્ર સ્વાદ હોય છે.
ખાસ કરીને આ બટાકામાંથી સલાડ, પ્યુરી, સૂપ અને ક્રીમ બનાવવામાં આવે છે. જો કોઈ ભારતીય તેને ખરીદે તો તેનો ઉપયોગ સમોસા બનાવવા માટે કરી શકાય છે. આ બટાકાની કિંમત એટલી વધી ગઈ છે કે સામાન્ય માણસ તેને ખરીદવાનું પણ વિચારી શકે નહીં.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
