40 હજાર કિલો ઘીથી બન્યુ છે આ મંદિર, બનાવવામાં થયો હતો આટલો મોટો ખર્ચ
સામાન્ય રીતે કોઈપણ મંદિરના બાંધકામ માટે તેના પાયામાં કોંક્રિટ અને પથ્થર સાથે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં એક મંદિરને ઘીથી પાયા ભરીને બનાવાયુ છે.
ભારતમાં એક એવું મંદિર છે જેના પાયામાં પાણી નહીં પણ તેના બદલે ચાલીસ હજાર કિલોગ્રામ ઘી વપરાયું હતું. આ ઐતિહાસિક મંદિરને જોવા માટે દર વર્ષે દુનિયાભરમાંથી હજારો લોકો આવે છે.

રાજસ્થાનના બિકાનેરમાં આવેલુ ભંડાશાહ જૈન મંદિર દુનિયાભરમાં પ્રખ્યાત છે. આ મંદિરની સૌથી ખાસ વાત તેના પાયા સાથે જોડાયેલી વાર્તા છે. કહેવાય છે કે આ મંદિરનો પાયો ભરવા માટે લગભગ 40 હજાર કિલોગ્રામ ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ મંદિરને જોવા માટે ભારતના અન્ય સ્થળોએથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. આ મંદિરની ભવ્યતા જોયા બાદ અહીં આવતા પ્રવાસીઓ ફોટોગ્રાફ લીધા વગર રહી શકતા નથી. આ સાથે જ આ મંદિરના દર્શન કરવા માટે દેશ-વિદેશના લોકોનો સતત પ્રવાહ રહે છે.
આ મંદિરનો ઈતિહાસ લગભગ 5 સદી જૂનો હોવાનું છે. 1468માં ભાંડા શાહ નામના વેપારીએ તેનું નિર્માણ કરવાનું શરૂ. ભાંડા શાહના મૃત્યુ પછી બાકીના મંદિરનું નિર્માણ તેમની પુત્રી દ્વારા 1541 માં પૂર્ણ કરવામાં આવ્યું. તેનું નામ ભાંડાશાહ રાખવામાં આવ્યું.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત







Click it and Unblock the Notifications
